શોધખોળ કરો

Manipur Violence: મણિપુરના CM  એન બિરેન સિંહના રાજીનામાનો પત્ર વાયરલ થયા બાદ જાણો ટ્વિટ કરી શું કર્યો ખુલાસો ?

મણિપુરમાં લગભગ બે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ મણિપુરના મુખ્યમંત્રી  એન. બીરેન સિંહના રાજીનામાનો પત્ર શુક્રવારે બપોરે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઈમ્ફાલ:  મણિપુરમાં લગભગ બે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ મણિપુરના મુખ્યમંત્રી  એન. બીરેન સિંહના રાજીનામાનો પત્ર શુક્રવારે બપોરે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  તેમના રાજીનામાનો ફાટેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે તેમણે પોતે ટ્વિટ કરી રાજીનામા અંગે ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે   આ નિર્ણાયક સમયે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ નહીં.


મોટી સંખ્યામાં મહિલાઓ ઇમ્ફાલમાં એન બિરેન સિંહના ઘર બહાર એકઠી થઈ છે અને માનવ સાંકળ બનાવી છે. આ મહિલાઓનું કહેવું છે કે મુખ્યમંત્રીએ રાજીનામું  આપવું જોઈએ નહી. ભીડને દૂર કરવા માટે ઇમ્ફાલમાં બપોરે 2 વાગ્યે ફરીથી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. મણિપુરના મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે. 

હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરની બે દિવસની મુલાકાતે છે. રાહુલ ગાંધી શુક્રવારે જ ઇમ્ફાલ હોટલમાં 'સમાન વિચારધારાવાળા' પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)ના નેતાઓ અને નાગરિક સમાજ સંગઠનોના સભ્યોને મળવાના છે. મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કીશમ મેઘચંદ્રને ટાંકીને સમાચાર એજન્સી ANIએ આ માહિતી આપી છે. 

પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું- ‘હિંસાથી ઉકેલ નહી મળે, ફક્ત શાંતિ જ સમાધાન’

હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની બે દિવસની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ આજે ​​પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિંસાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ મળશે નહી, માત્ર શાંતિ જ સમાધાન છે.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મણિપુરને શાંતિની જરૂર છે. હું રાહત શિબિરોમાં ગયો અને દરેક સમુદાયના લોકોને મળ્યો હતો. રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકની અછત છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. હું મણિપુરના દરેક વ્યક્તિને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હું અહીં હાજર છું અને શાંતિ માટે મારાથી બનતું બધું કરીશ.

મણિપુરમાં પોતાના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ શહેરમાં બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેઓ હિંસાથી વિસ્થાપિત થયેલા પીડિતોને મળ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મોઇરાંગ પહોંચ્યા અને અહીં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને તેમની ફરિયાદો સાંભળી હતી. રાહુલ ગાંધીની સાથે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ, પાર્ટીના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ, પીસીસી પ્રમુખ કીશમ મેઘચંદ્ર સિંહ અને પૂર્વ સાંસદ અજય કુમાર હતા.
 
મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. 
 
મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિ (ST)માં મૈતેઈ સમુદાયના સમાવેશ પર વિચારણા કરવા આદેશો જારી કર્યા છે. મૈતેઈ સમુદાયના લોકો દલીલ કરે છે કે 1949માં ભારતીય સંઘ સાથે વિલીનીકરણ પહેલાં તેમને રજવાડામાં જનજાતિનો દરજ્જો હતો. છેલ્લાં 70 વર્ષમાં મૈતેઈ વસતિ 62 ટકાથી ઘટીને લગભગ 50 ટકા થઈ ગઈ છે.
 
મણિપુરમાં હાલની હિંસા મૈતેઇ અનામતને માનવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મુખ્યપ્રધાન બિરેન સિંહની સરકારે ચુરાચંદપુરના જંગલ વિસ્તારોમાં રહેતી નાગા અને કુકી જાતિઓને ઘૂસણખોર ગણાવીને તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો. આનાથી નાગા-કુકી ગુસ્સે થઈ રહ્યા હતા. મૈતેઈ હિન્દુઓ છે, જ્યારે એસટી કેટેગરીના મોટા ભાગના નાગા અને કુકી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget