શોધખોળ કરો

IMA On Antibiotics: 'એન્ટીબાયોટિક્સ લેવાથી બચવું જોઇએ', જાણો કેમ તાવના વધતા કેસ વચ્ચે IMAએ જાહેર કરી એડવાઇઝરી

NCDC તરફથી મળેલી માહિતી અનુસાર, આમાંથી મોટાભાગના કેસ H3N2 વાયરસના છે.

IMA On Antibiotics: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ શુક્રવારે (3 માર્ચ) એક એડવાઇઝરી જાહેર કરીને લોકોને એઝિથ્રોમાઇસીન અને અમોક્સિક્લેવ જેવી એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવા વિનંતી કરી. IMA ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર શરદ કુમાર અગ્રવાલ અને અન્ય સભ્યોએ સલાહકારમાં જણાવ્યું હતું કે જ્યારે એન્ટિબાયોટિકની જરૂર ન હોય ત્યારે લેવી ન જોઇએ નહી તો તેનાથી એન્ટિબાયોટિક રેજિસ્ટેન્સ થાય છે.

ડૉક્ટરોએ કહ્યું હતું કે જ્યારે પણ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાની જરૂર પડે છે ત્યારે તે પ્રતિકારને કારણે કામ કરશે નહીં. તેમણે કહ્યું કે તાજેતરમાં ઉધરસ, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. ચેપ સામાન્ય રીતે લગભગ 5 થી 7 દિવસ સુધી રહે છે. તાવ ત્રણ દિવસમાં ઉતરી જાય છે. ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. NCDC તરફથી મળેલી માહિતી અનુસાર, આમાંથી મોટાભાગના કેસ H3N2 વાયરસના છે.

શરદી કે ખાંસી થવી સામાન્ય બાબત છે

એસોસિએશનનું કહેવું છે કે ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય વાયરસના કારણે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન શરદી કે ઉધરસ થવી સામાન્ય બાબત છે. અન્ય ઘણી એન્ટિબાયોટિક્સનો અમુક પરિસ્થિતિઓ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓમાં પ્રતિકારક ક્ષમતા વિકસાવી રહી છે. દાખલા તરીકે ઝાડાનાં 70 ટકા કેસ વાયરલ છે, જેને એન્ટિબાયોટિક્સની જરૂર નથી પરંતુ ડૉક્ટરો દ્વારા એન્ટિબાયોટિક્સ સૂચવવામાં આવી રહી છે.

H3N2 ને કારણે ઉધરસ અને તાવના કેસોમાં વધારો

શનિવારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને કેટલાક કિસ્સાઓમાં તાવ સાથે ઉધરસનું કારણ 'ઈન્ફ્લુએન્ઝા A' નો પેટા પ્રકાર 'H3N2' છે.

ICMR વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે H3N2, જે છેલ્લા બે-ત્રણ મહિનાથી વ્યાપકપણે ફેલાયેલો છે, તે અન્ય પેટાપ્રકારોની સરખામણીમાં દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ છે. ICMR તેના 'વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ નેટવર્ક' દ્વારા શ્વસન વાયરસથી થતા રોગો પર નજીકથી નજર રાખી રહ્યું છે.

LAC: ગલવાન-પેંગોગ સરહદે અચાનક હલચલ, LACએ પહેલીવાર ભારતીય સેનાનું 'રૌદ્ર સ્વરૂપ'

India-China Border: લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ બાદ ભારતીય સેનાએ પેટ્રોલિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ભારતીય સેનાના સૈનિકો હવે સરહદ પર મહત્તમ અંતર સુધી દેખરેખ રાખવા માટે પેટ્રોલિંગ માટે ઘોડા અને ખચ્ચરનો ઉપયોગ કરી રહ્યા છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, સેનાના જવાનોએ ઘોડા અને ખચ્ચર સાથે LACની આસપાસના વિસ્તારોમાં સર્વે કર્યો હતો.

આ પહેલા બોર્ડર પર ક્રિકેટ રમતા ભારતીય જવાનોની તસવીર વાયરલ થઈ હતી. ભારતીય સેના ક્યા સ્થળે ક્રિકેટ રમી હતી તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, જૂન 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી. આ અથડામણ બાદ બંને દેશોની સેનાઓ એલર્ટ પર છે.

ચીનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન

બીજી તરફ ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ હાલ દિલ્હીમાં છે. તેઓ G-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આ દરમિયાન કિન ગેંગે કહ્યું હતું કે, પડોશી દેશો અને મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓના દૃષ્ટિકોણથી ચીન અને ભારતના મતભેદો કરતાં વધુ સમાન હિતો છે. તેમણે કહ્યું હતું કે, બંને પક્ષોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને વિશ્વમાં એક સદીમાં એક વખતના બદલાવના દૃષ્ટિકોણથી જોવું જોઈએ અને આધુનિકીકરણના માર્ગ પર આગળ વધવું જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget