શોધખોળ કરો

Independence Day 2022: આઝાદી પછી ભારતને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે આગળ વધારનાર આ વૈજ્ઞાનિકોનું યોગદાન મહત્વનું રહ્યું...

છેલ્લા 75 વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં એવા લોકો છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં મદદ કરી છે.

Azadi Ka Amrit Mahotsav: આઝાદીના આ અમૃત ઉત્સવમાં ઉજવણીની સાથે સાથે એવા લોકોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે જેમણે દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. છેલ્લા 75 વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં એવા લોકો છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં મદદ કરી છે. આઝાદી મળ્યા બાદ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતે પોતાની આગવી ઓળખ બનાવી છે. આવો અમે તમને દેશના એવા લોકો વિશે જણાવીએ જેમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને એક અલગ ઓળખ આપી છે.

ડૉ. એપીજે અબ્દુલ કલામ 

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કે જેઓ 'મિસાઈલ મેન ઑફ ઈન્ડિયા' તરીકે જાણીતા હતા. અબ્દુલ કલામે દસ વર્ષની મહેનત બાદ જુલાઈ 1980માં રોહિણી ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશ ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યો હતો. ભારતનું પોખરણ-2 પરમાણુ પરીક્ષણ તેમની ભેટ હતી. તેમણે પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પણ ન્યુક્લિયર એનર્જી સાથે ભેળવીને કર્યો હતો. આ રીતે ભારત પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતા હાંસલ કરવામાં સફળ થયું. તમને જણાવી દઈએ કે તેઓ એવા પ્રથમ વૈજ્ઞાનિક છે જે રાષ્ટ્રપતિ બન્યા છે. તે જ સમયે, તેઓ ત્રીજા વ્યક્તિ છે જેમને રાષ્ટ્રપતિ બનતા પહેલા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

સર સીવી રામન

સર સીવી રમનને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે કરેલું કામ જ તેમની ઓળખ છે. સીવી રમનના માનમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1928માં આ દિવસે, તેમણે રામન ઈફેક્ટ્સ એટલે કે, રામન અસરની શોધની જાહેરાત કરી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, વર્ષ 1954 માં, સીવી રમનને ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

ડો. હોમી જહાંગીર ભાભા

ડો. હોમી જહાંગીર ભાભાએ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમની કલ્પના કરી અને ભારતને પરમાણુ-સંચાલિત બનવા અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો હતો. તેમને ભારતીય પરમાણુ ઉર્જા પ્રોગ્રામના પિતા પણ કહેવામાં આવે છે. કોસ્મિક કિરણો પર તેમની શોધને કારણે તેમને વિશેષ ખ્યાતિ મળી. તેમની ઉપલબ્ધિઓને જોતા, વર્ષ 1944માં, 31 વર્ષની વયે તેમને પ્રોફેસર બનાવવામાં આવ્યા. વર્ષ 1957માં, ભારતે મુંબઈ નજીક ટ્રોમ્બે ખાતે પ્રથમ પરમાણુ સંશોધન સ્ટેશનની સ્થાપના કરી. વર્ષ 1967માં તેનું નામ બદલીને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કરવામાં આવ્યું છે.

વિક્રમ સારા ભાઈ

વિક્રમ સારાભાઈને બાળપણથી જ વિજ્ઞાન પ્રત્યે ઘણો લગાવ હતો. જણાવી દઈએ કે સારાભાઈના નેતૃત્વમાં કોસ્મિક કિરણોનું અવલોકન કરવા માટે નવી ટેલીસ્કોપ બનાવવામાં આવી હતી. તેમણે ડૉ. હોમી ભાવા સાથે મળીને ભારતમાં પ્રથમ રોકેટ લોન્ચ ઈમ્પ્રેશન ઊભું કર્યું હતું. ભારતમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન શરૂ કરવાનો શ્રેય પણ વિક્રમ સારાભાઈને જાય છે. નાસા સાથે મળીને, તેમણે 1975 થી 1976 દરમિયાન સેટેલાઇટ સફળ ટેલિવિઝન પ્રયોગો શરૂ કર્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

ડૉ. અનિલ કાકોડકર

ડૉ. અનિલ કાકોડકરનું નામ ભારતના ખ્યાતનામ પરમાણુ ઉર્જા વૈજ્ઞાનિકોમાં ગણવામાં આવે છે. તેમણે ભારતના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ પદ સહિત ભારતના પરમાણુ ઉર્જા વિભાગના સચિવ તરીકે સેવા આપી છે. આ સિવાય તેઓ લગભગ ચાર વર્ષ સુધી 'ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર'ના ડાયરેક્ટર પણ રહ્યા હતા. 1974 અને 1998માં ભારત દ્વારા પરમાણુ પરીક્ષણો દરમિયાન તેઓ આ ટીમના મુખ્ય સભ્ય તરીકે કાર્યરત હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget