શોધખોળ કરો

Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ

દેશભરમાં સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ (આઝાદી કા અમૃત મહોત્સવ) ઉજવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે

Independence Day 2022:  દેશભરમાં સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ (આઝાદી કા અમૃત મહોત્સવ) ઉજવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આવી સ્થિતિમાં, જો તમે ભારતને સારી રીતે જાણવા માંગતા હોવ તો તમે મ્યૂઝિયમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. ભારતમાં આવા અનેક સંગ્રહાલયો છે, જે ભારતના ગૌરવશાળી ઈતિહાસને આવરી લે છે. તે ભારતને નજીકથી જાણવાના કેન્દ્ર છે. તમે તમારા બાળકો, પરિવાર અથવા મિત્રો સાથે આ મ્યૂઝિયમની મુલાકાત લઈ શકો છો.

નેશનલ મ્યૂઝિયમ

ભારતનું સૌથી મોટું મ્યૂઝિયમ દિલ્હીમાં જનપથ અને મૌલાના આઝાદ રોડ નજીક નેશનલ મ્યૂઝિયમ છે. તેની પાસે 2 લાખ કલાકૃતિઓ છે. અહીં મૌર્ય, શુંગ, સાતવાહન, ગુપ્ત અને મધ્યકાલીન સમયનો ઇતિહાસ સરળતાથી જાણી શકાય છે. આ મ્યૂઝિયમમાં ભારતના વિવિધ ભાગોના લોકોની ધાર્મિક વિધિઓ અને દૈનિક જીવન જોવા મળશે.

પ્રધાનમંત્રી મ્યૂઝિયમ

વડાપ્રધાનનું સંગ્રહાલય (પ્રધાનમંત્રી સંગ્રહાલય) દેશના સૌથી આધુનિક સંગ્રહાલયોમાંનું એક છે. નવી દિલ્હીના તીન મૂર્તિ સંકુલમાં સ્થિત આ મ્યુઝિયમ એટલે કે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું ઉદ્ઘાટન એપ્રિલ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતની સિદ્ધિઓની ગાથા આ મ્યુઝિયમમાં જોવા મળશે. આઝાદી પછીના તમામ વડાપ્રધાનોની માહિતી મ્યુઝિયમમાં આપવામાં આવી છે. મ્યુઝિયમમાં એક ટાઈમ મશીન છે જે તમને જૂના ભારતનો પરિચય કરાવે છે.

રેલ મ્યૂઝિયમ

રેલ મ્યુઝિયમ દિલ્હીમાં આવેલું છે. આ મ્યૂઝિયમ 10 એકરમાં ફેલાયેલું છે. અહીં ભારતીય રેલવેનો પ્રાચીન વારસો જોવા મળે છે. તે 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ બાંધવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય ભારતના રેલ્વે વારસાને જાળવી રાખવાનો હતો. ભારતીય રેલ્વેના ફર્નિચર સહિત 100 થી વધુ વસ્તુઓ અહીં જોવા મળે છે. આ મ્યુઝિયમમાં તમે ટ્રેનમાં મુસાફરીનો આનંદ પણ લઈ શકો છો.

ઇન્ડિયન મ્યૂઝિયમ

કોલકાતાની જવાહરલાલ સ્ટ્રીટ પર આવેલું આ ભારતનું સૌથી મોટું મ્યૂઝિયમ છે. આ મ્યૂઝિયમ છ વિભાગમાં બનાવવામાં આવ્યું છે. તેમાં પુરાતત્વ, માનવશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ઉદ્યોગ અને કલા છે. નૃવંશશાસ્ત્રમાં મોહેંજોદડો અને હડપ્પન સમયગાળાનો ઇતિહાસ છે. ચાર હજાર વર્ષ જૂની ઇજિપ્તની મમી પણ અહીં રાખવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રમાં ખનિજો, અવશેષો અને ખડકો દર્શાવવામાં આવ્યા છે. પ્રાણીશાસ્ત્રમાં માછલી, સરિસૃપ અને મેમથના હાડપિંજર જોવા મળે છે. સાથે સાથે કુટીર ઉદ્યોગ, મેડિસિન, વન પેદાશો અને ખેત પેદાશોની માહિતી ઉદ્યોગમાં ઉપલબ્ધ છે.

શંકર ઇન્ટરનેશનલ ડૉલ મ્યૂઝિયમ

આ સ્વતંત્રતા દિવસે તમે દિલ્હીમાં શંકરના આંતરરાષ્ટ્રીય ડૉલ્સ મ્યૂઝિયમની મુલાકાત લઈ શકો છો. અહીં તમને વિશ્વના વિવિધ દેશોની ડૉલ્સનું કલેક્શન જોવા મળશે. હાલમાં આ મ્યૂઝિયમમાં 85 દેશોની 6,500 ઢીંગલીઓ હાજર છે. આ મ્યૂઝિયમની સ્થાપના વર્ષ 1965માં પ્રખ્યાત કૉર્ટૂનિસ્ટ કે શંકર પિલ્લઈ દ્વારા કરવામાં આવી હતી. મ્યુઝિયમના એક ભાગમાં ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કોમનવેલ્થ દેશોની ઢીંગલીઓ છે જ્યારે બીજા ભાગમાં આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાઈ દેશોની ઢીંગલીઓ છે. તમે તમારા બાળકોને અહીં લાવી શકો છો. તેઓને આનંદ સાથે ઘણું શીખવા મળશે.

ખાદી મ્યૂઝિયમ

દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિત ખાદી મ્યુઝિયમ ભારતના હેરિટેજ મ્યૂઝિયમોમાંનું એક છે. જે લોકો ઈતિહાસને નજીકથી જુએ છે અને સમજે છે તેમના માટે અને બાળકો માટે આ મ્યુઝિયમ ઘણું સારું છે. આ મ્યૂઝિયમ મુખ્યત્વે ચરખા વિશે છે. આ મ્યૂઝિયમમાં તમને ખાદીમાંથી બનેલી હેન્ડસમ વસ્તુઓ પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget