શોધખોળ કરો

India Canada: નિજ્જર વિવાદ બાદ કેમ ભારતે કેનેડાના ડિપ્લોમેટ્સને કર્યા બહાર ? ભારતીય રાજદ્વારીએ જણાવ્યું કારણ 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર મોતને ભેટ્યો છે. પરંતુ તેના કારણે ભારત અને કેનેડા જેવા બે મોટા દેશો વચ્ચે તણાવ ઉભો થઈ ગયો.

India Canada Relations: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર મોતને ભેટ્યો છે. પરંતુ તેના કારણે ભારત અને કેનેડા જેવા બે મોટા દેશો વચ્ચે તણાવ ઉભો થઈ ગયો. નિજ્જરના કારણે તણાવ એટલો વધી ગયો કે બંને દેશોએ પોતપોતાના રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ હવે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી અને કેનેડા સાથેના સંબંધો અંગે વાત કરી છે.

કેનેડાના સૌથી મોટા ખાનગી ટેલિવિઝન નેટવર્ક, ‘સીટીવી ન્યૂઝ’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ભારતીય હાઈ કમિશનરે કેનેડિયન રાજદ્વારીઓના નવી દિલ્હી છોડવાના અને અન્ય ડઝનેક કેનેડિયન અધિકારીઓને આપવામાં આવેલી રાજદ્વારી છૂટને  ખતમ કરવા સહિત અનેક મુદ્દાઓ પર જવાબ આપ્યો છે.  તેમણે કહ્યું કે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને દિલ્હીમાંથી હટાવવા તે 'જવાબી કાર્યવાહી' હતી અને આ પૂરી રીતે ભાવનાત્મક પાસાઓ પર આધારિત હતું. 

નિજ્જરની હત્યા પર વિવાદ વધ્યો

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં ભારત પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. નિજ્જરની આ વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે કેનેડાના આરોપોને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ પછી બંને દેશોએ પોતપોતાના રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહી દિધુ હતું. 


ભારતીય હાઈ કમિશનરે શું કહ્યું ?

જ્યારે,  ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બે મહિના પહેલાની સરખામણીએ હવે સારા છે. આ પછી તેમણે કહ્યું કે કેનેડિયન રાજદ્વારીઓને નવી દિલ્હીમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયમાં ભાવનાત્મક પાસાઓ સામેલ હતા.


જો કે, ભારતીય હાઈ કમિશનરે કહ્યું કે ઓક્ટોબરમાં ડઝનેક અન્ય કેનેડિયન રાજદ્વારીઓ પાસેથી રાજદ્વારી છૂટ છીનવી લેવાનું પગલું મોટાભાગે સમાનતા દર્શાવવા માટે હતું. તેમણે કહ્યું કે ભારતે એ સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે કે કેનેડિયન રાજદ્વારીઓ જેટલી સંખ્યામાં કેનેડામાં તૈનાત હતા તેટલી જ સંખ્યામાં ભારતમાં રહી શકે. 

પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Mumbai Water Logging : ધોધમાર વરસાદથી માયાનગરી મુંબઈ થઈ પાણી પાણી, અન્ડરબ્રિજ, રસ્તાઓ જળમગ્ન
Gir Somnath Rains Update : ગીર સોમનાથમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Devayat Khavad: દેવાયત ખવડ વિરુદ્ધના વિવાદિત હુમલાના કેસમાં વેરાવળ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Shambhunath Tundiya Statement: પોતાના પ્રતિનિધિ અંગે પત્રનો વિવાદ, MLA શંભુનાથ ટુંડિયાની સ્પષ્ટતા
Top Breaking Of Gujarat Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Indian Railway Rule: ટ્રેનમાં એરલાઈન્સ જેવો નિયમ લાગુ, લિમિટ કરતા વધુ સામાન હશે તો ફટકારાશે દંડ
Indian Railway Rule: ટ્રેનમાં એરલાઈન્સ જેવો નિયમ લાગુ, લિમિટ કરતા વધુ સામાન હશે તો ફટકારાશે દંડ
મુંબઇમાં ધોધમાર વરસાદ, લોકલ ટ્રેન પ્રભાવિત, સિંધુદુર્ગના આ રસ્તાઓ અને હાઇવે બંધ, મહારાષ્ટ્રમાં 12નાં મોત
મુંબઇમાં ધોધમાર વરસાદ, લોકલ ટ્રેન પ્રભાવિત, સિંધુદુર્ગના આ રસ્તાઓ અને હાઇવે બંધ, મહારાષ્ટ્રમાં 12નાં મોત
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Embed widget