શોધખોળ કરો

India Canada: નિજ્જર વિવાદ બાદ કેમ ભારતે કેનેડાના ડિપ્લોમેટ્સને કર્યા બહાર ? ભારતીય રાજદ્વારીએ જણાવ્યું કારણ 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર મોતને ભેટ્યો છે. પરંતુ તેના કારણે ભારત અને કેનેડા જેવા બે મોટા દેશો વચ્ચે તણાવ ઉભો થઈ ગયો.

India Canada Relations: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર મોતને ભેટ્યો છે. પરંતુ તેના કારણે ભારત અને કેનેડા જેવા બે મોટા દેશો વચ્ચે તણાવ ઉભો થઈ ગયો. નિજ્જરના કારણે તણાવ એટલો વધી ગયો કે બંને દેશોએ પોતપોતાના રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ હવે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી અને કેનેડા સાથેના સંબંધો અંગે વાત કરી છે.

કેનેડાના સૌથી મોટા ખાનગી ટેલિવિઝન નેટવર્ક, ‘સીટીવી ન્યૂઝ’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ભારતીય હાઈ કમિશનરે કેનેડિયન રાજદ્વારીઓના નવી દિલ્હી છોડવાના અને અન્ય ડઝનેક કેનેડિયન અધિકારીઓને આપવામાં આવેલી રાજદ્વારી છૂટને  ખતમ કરવા સહિત અનેક મુદ્દાઓ પર જવાબ આપ્યો છે.  તેમણે કહ્યું કે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને દિલ્હીમાંથી હટાવવા તે 'જવાબી કાર્યવાહી' હતી અને આ પૂરી રીતે ભાવનાત્મક પાસાઓ પર આધારિત હતું. 

નિજ્જરની હત્યા પર વિવાદ વધ્યો

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં ભારત પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. નિજ્જરની આ વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે કેનેડાના આરોપોને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ પછી બંને દેશોએ પોતપોતાના રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહી દિધુ હતું. 


ભારતીય હાઈ કમિશનરે શું કહ્યું ?

જ્યારે,  ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બે મહિના પહેલાની સરખામણીએ હવે સારા છે. આ પછી તેમણે કહ્યું કે કેનેડિયન રાજદ્વારીઓને નવી દિલ્હીમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયમાં ભાવનાત્મક પાસાઓ સામેલ હતા.


જો કે, ભારતીય હાઈ કમિશનરે કહ્યું કે ઓક્ટોબરમાં ડઝનેક અન્ય કેનેડિયન રાજદ્વારીઓ પાસેથી રાજદ્વારી છૂટ છીનવી લેવાનું પગલું મોટાભાગે સમાનતા દર્શાવવા માટે હતું. તેમણે કહ્યું કે ભારતે એ સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે કે કેનેડિયન રાજદ્વારીઓ જેટલી સંખ્યામાં કેનેડામાં તૈનાત હતા તેટલી જ સંખ્યામાં ભારતમાં રહી શકે. 

પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget