શોધખોળ કરો

પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ

India Iran evacuation 2026 ખાડી દેશોમાં તણાવ વધતા ભારત સરકારે એક્શન પ્લાન ઘડ્યો; વિદેશ મંત્રાલયે ઈરાનનો પ્રવાસ ટાળવા સલાહ આપી અને અત્યાર સુધીમાં 3000 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત સ્વદેશ લાવ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીયોની સુરક્ષા માટે વિદેશ મંત્રાલયે 24/7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો.
  • ઈરાનમાંથી 2549 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
  • અખાતના દેશોમાં દરિયાઈ વેપાર અને નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત.
  • દૂતાવાસો દ્વારા 24 કલાક હેલ્પલાઈન દ્વારા સતત મદદ પૂરી.

India Iran evacuation 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં યુદ્ધની પરિસ્થિતિ અને તણાવ સતત વધી રહ્યો છે, જેને પગલે ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક ખાસ 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સોમવારે આ મામલે યોજાયેલી એક બ્રીફિંગમાં અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે, પરંતુ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા અને દરિયાઈ વેપારને નુકસાન ન થાય તે માટે સરકાર સતત કામ કરી રહી છે.

ઈરાનમાંથી 2549 ભારતીયોનું રેસ્ક્યુ, ફ્લાઈટની સ્થિતિમાં સુધારો

MEA ના અધિક સચિવ અસીમ આર મહાજને જણાવ્યું કે, તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જમીન સરહદ મારફતે અત્યાર સુધીમાં 2549 ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક ઈરાનમાંથી બહાર કાઢ્યા છે. ભારત સરકારે હાલ પૂરતી તમામ નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવા અને ત્યાં રહેતા લોકોને તાત્કાલિક દેશ છોડી દેવાની કડક સલાહ આપી છે.

ફ્લાઈટ ઓપરેશન અંગે અપડેટ આપતા તેમણે કહ્યું કે, "યુએઈ (UAE), સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનનું હવાઈ ક્ષેત્ર અત્યારે ખુલ્લું છે અને ભારતીય ફ્લાઈટ્સ ચાલી રહી છે. જ્યારે કતાર, ઈરાક અને ઈરાનનું એરસ્પેસ આંશિક રીતે જ ખુલ્લું છે. ઈઝરાયેલમાં પણ મર્યાદિત ફ્લાઈટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે."

દરિયામાં ભારતીય જહાજો અને નાવિકો સુરક્ષિત

બંદરો અને શિપિંગ મંત્રાલયના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ રાહત આપતા સમાચાર આપ્યા છે કે, છેલ્લા 3 દિવસમાં ભારતીય ધ્વજ વાળા કોઈ પણ વેપારી જહાજ કે ભારતીય નાવિકો પર કોઈ હુમલો કે ઘટના બની નથી. દરિયામાં પણ તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. શિપિંગ વિભાગના કંટ્રોલ રૂમને અત્યાર સુધીમાં લગભગ 8,889 કોલ્સ અને 19,758 ઈમેલ્સ મળ્યા છે.

ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો

વિદેશ મંત્રાલયના સંકલનથી અત્યાર સુધીમાં 3096 થી વધુ ભારતીય નાવિકોને ખાડીના અલગ-અલગ દેશોમાંથી સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા છે. ભારતના બંદરો પર પણ કામગીરી એકદમ નોર્મલ ચાલી રહી છે.

દૂતાવાસોની 24 કલાક હેલ્પલાઈન અને રાજ્ય સરકારો સાથે સંકલન

MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અસીમ મહાજને વધુમાં જણાવ્યું કે, "અમે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયોની સલામતી માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંપર્કમાં છીએ. આ ઉપરાંત, ત્યાં રહેલા ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા 24 કલાક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જે લોકોને સ્થાનિક માર્ગદર્શિકા, ફ્લાઈટની સ્થિતિ અને મુસાફરી વિશે સતત માહિતી અને મદદ પૂરી પાડી રહી છે."

આ તમામ હિલચાલ વચ્ચે ઈરાને યુદ્ધ રોકવા માટે અમેરિકા સમક્ષ આર્થિક નાકાબંધી હટાવવા અને ઈરાનની સંપત્તિ મુક્ત કરવા જેવી શરતો મૂકી છે. હવે આગળ અમેરિકા શું પગલાં લેશે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

Frequently Asked Questions

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શું પગલાં લીધા છે?

ભારત સરકારે ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે 24/7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને ઈરાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

ઈરાનમાંથી કેટલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે?

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જમીન સરહદ મારફતે અત્યાર સુધીમાં 2549 ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક ઈરાનમાંથી બહાર કાઢ્યા છે.

દરિયાઈ વેપાર અને ભારતીય નાવિકોની સુરક્ષાની શું સ્થિતિ છે?

છેલ્લા 3 દિવસમાં ભારતીય ધ્વજ વાળા કોઈ પણ વેપારી જહાજ કે ભારતીય નાવિકો પર કોઈ હુમલો કે ઘટના બની નથી. તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે.

ખાસ પરિસ્થિતિમાં ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા શું મદદ પૂરી પાડવામાં આવી રહી છે?

ત્યાં રહેલા ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા 24 કલાક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જે લોકોને સ્થાનિક માર્ગદર્શિકા, ફ્લાઈટની સ્થિતિ અને મુસાફરી વિશે માહિતી અને મદદ પૂરી પાડી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Embed widget