ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નહી કરો સેટ, કેન્દ્ર સરકાર લાવવા જઇ રહી છે નવો નિયમ
કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને કહ્યું કે ભારતમાં એર કંડિશનર (AC) ના તાપમાન અંગે ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ પ્રયોગ હેઠળ દેશભરમાં AC નું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સેટ કરવામાં આવશે નહીં. દેશમાં ઉર્જા વપરાશ ઘટાડવા અને આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. ખટ્ટરે કહ્યું હતું કે આગામી દિવસોમાં AC માટે તાપમાન સેટિંગ પ્રમાણિત કરવામાં આવશે.
#WATCH | Delhi: Union Minister of Housing & Urban Affairs, Manohar Lal Khattar says, "Regarding air conditioning standards, a new provision is being implemented soon. The temperature standardization for ACs will be set between 20°C to 28°C, meaning we won't be able to cool below… pic.twitter.com/Iwnaa4ZPKN
— ANI (@ANI) June 10, 2025
એટલે કે હવે કોઈ પણ AC 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર સેટ કરી શકાશે નહીં. ભારતમાં આ આ પ્રકારનો પહેલો પ્રયોગ હશે, જેનો હેતુ તાપમાન સેટિંગને એકસમાન બનાવવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
ऊर्जा बचत की दिशा में Temperature standardization का एक नया प्रयोग किया जा रहा है। जिसके तहत AC का temperature न्यूनतम 20 डिग्री और अधिकतम 28 डिग्री तक सीमित रहेगा। pic.twitter.com/K7eIIYzs5S
— Manohar Lal (@mlkhattar) June 10, 2025
અત્યાર સુધી શું નિયમ હતો?
હાલમાં ભારતમાં ACનું આદર્શ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેને 20-22 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરે છે, જે વીજળીના વપરાશમાં નોંધપાત્ર વધારો કરે છે. આનાથી માત્ર વધારે બિલ જ નહીં, પણ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. સરકારે પહેલાથી જ બધા સ્ટાર-રેટેડ એસીમાં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
એસીમાં તાપમાન સેટ કરવા માટેના નિયમો
ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યું છે. તેઓએ માર્ચમાં AC ના સ્માર્ટ અને ઊર્જા-કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. નવા નિયમોનો હેતુ વીજળીનો વપરાશ ઘટાડવા, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનના ખતરાથી બચવાનો છે.





















