India-US Trade: ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે, સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનો દાવો
India-US Trade: ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની કોઈપણ યોજનાનો ઇનકાર કર્યો છે

India-US Trade: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્ધારા ભારતથી અમેરિકા જતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની કોઈપણ યોજનાનો ઇનકાર કર્યો છે. બ્લૂમબર્ગે ભારત સરકારના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
અધિકારીઓએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી કોઈ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં, જેમાં AF-35નો પણ સમાવેશ થાય છે. આ અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત શસ્ત્રોના સંયુક્ત વિકાસ, ટેકનોલોજીના ટ્રાન્સફર, ભારતમાં ઉત્પાદન અને સંરક્ષણ ખરીદીમાં સ્વનિર્ભરતા જેવી શરતોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.
ઘણા સમયથી અમેરિકન સંરક્ષણ અધિકારીઓ સંકેત આપી રહ્યા છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં આ વિમાનોની ખરીદી પર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે મીડિયાની સામે ભારતને F-35 વેચવાના પ્રસ્તાવ વિશે પણ વાત કરી હતી. પરંતુ ભારત ક્યારેય તેના માટે સંમત થયું નહીં. એવું કહેવામાં આવ્યું હતું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આગામી પાંચ વર્ષમાં 500 બિલિયન ડોલર સુધી પહોંચી જશે અને આ માટે અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં સંરક્ષણ ખરીદી કરવામાં આવશે. આ અંતર્ગત ટ્રમ્પે ભારતને F-35 વિમાન વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે તાજેતરમાં અમેરિકા પાસેથી તેની સંરક્ષણ ખરીદીમાં વધારો કર્યો છે અને તેમાં MH 60R સીહોક હેલિકોપ્ટર અને P-8I મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આમ છતાં ભારતે ભારતમાં ઉત્પાદનની શરત પૂરી ન થાય ત્યાં સુધી અમેરિકા પાસેથી હાઇ-ટેક ખરીદી કરવામાં અનિચ્છા વ્યક્ત કરી છે.
રશિયાએ SU-57E વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં જ રશિયાએ તેનું પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ SU-57E ભારતને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ખાસ વાત એ છે કે રશિયાએ ટેકનોલોજી ટ્રાન્સફરની સાથે ભારતમાં તેનું ઉત્પાદન કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. નાસિકમાં હિન્દુસ્તાન એરોનોટિક્સના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે.
60 ટકા પાર્ટ્સ ભારતમાં બનાવી શકાય છે
રશિયાના પ્રસ્તાવ મુજબ, ભારતમાં બનનારા SU-57E ના 60 ટકા પાર્ટ્સ ભારતીય હશે અને આનાથી ભારત આ વિમાનમાં સ્વદેશી રીતે બનાવેલી મિસાઇલો તૈનાત કરી શકશે. આનાથી ભારત તેની જરૂરિયાતો અનુસાર તેમની પ્રહાર ક્ષમતાને અનુકૂળ કરી શકશે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















