શોધખોળ કરો

Sadhguru Brain Surgery: સદગુરુ જગ્ગી વાસુદેવની કરવામાં આવી ઈમરજન્સી બ્રેન સર્જરી,મગજમાં થવા લાગ્યો હતો રક્તસ્ત્રાવ

Sadhguru jaggi Vasudev: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા

Sadhguru jaggi Vasudev: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચ 2024 ના રોજ મહા શિવરાત્રીની ઉજવણી પણ કરી.

 

15 માર્ચે જ્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે તેમણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીનો બપોરે 3:45 વાગ્યે ટેલિફોન પર સંપર્ક કર્યો. ડૉ. સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો. તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સદગુરુના મગજનો MRI કરવામાં આવ્યો અને મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો.

સદગુરુએ મગજની સર્જરી પછી એક વીડિયો સંદેશ જાહેર કર્યો અને કહ્યું કે મગજની સર્જરી પછી પણ તેમની સ્થિતિ સારી છે.

 

ડૉ. વિનીત સુરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ. ચેટર્જી સહિત ડૉકટરોની ટીમ દ્વારા સદગુરુની સારવાર કરવામાં આવી હતી અને મગજમાં રક્તસ્ત્રાવ દૂર કરવા માટે 17 માર્ચે ઇમરજન્સી બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. બાદમાં સદગુરુને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા.

 

સારવાર દરમિયાન ખબર પડી કે તેના મગજમાં 3-4 અઠવાડિયાથી લોહી વહેતું હતું. સદગુરુને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે. 17 માર્ચ, 2024 ના રોજ, તેમને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેનથી જાણવા મળ્યું કે મગજમાં સોજો નોંધપાત્ર રીતે વધી ગયો હતો અને તેનું ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. 17 માર્ચે, તેમની મગજની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. હાલમાં, સદગુરુની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. નોંધનિય છે કે, સદગુરુ જગ્ગી વાસુદેવએ તાજેતરમાં પોતાના આશ્રમ ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરી હતી. તેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઘણા બોલિવૂડ સેલિબ્રિટી અને નેતાઓએ પણ હાજરી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
વિસાવદરમાં AAP ની જીત છતાં
વિસાવદરમાં AAP ની જીત છતાં "જવાહર ચાવડા ઝિંદાબાદ" ના નારા: ગોપાલ ઇટાલિયાની ઉજવણીમાં ભાજપના બળવાખોર નેતાનો જયજયકાર, રાજકીય ગરમાવો વધ્યો
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત,  પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત, પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
Advertisement

વિડિઓઝ

Surat Heavy Rains: સુરતમાં આભ ફાટ્યું , 8 ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન
Shaktisinh Gohil Resign: શક્તિસિંહનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીના પરિણામ આઘાતજનક
Surat Rain : Surat Flood : સુરતમાં બારેમેઘ ખાંગા, 7.5 ઇંચ વરસાદમાં ડુબ્યૂ શહેર
Visavadar By Election Result: Gopal Italia : વિસાવદરમાં જીત બાદ ગોપાલનો હુંકાર
Visavadar By Election Result : Gopal Italia : ગોપાલ વિસાવદરનો હીરો, ભવ્ય જીત!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
વિસાવદરમાં AAP ની જીત છતાં
વિસાવદરમાં AAP ની જીત છતાં "જવાહર ચાવડા ઝિંદાબાદ" ના નારા: ગોપાલ ઇટાલિયાની ઉજવણીમાં ભાજપના બળવાખોર નેતાનો જયજયકાર, રાજકીય ગરમાવો વધ્યો
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત,  પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત, પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
Visavadar Bypoll: ગુજરાતનો સિંહ ગોપાલ હવે વિધાનસભામાં ગર્જના કરશે- મનિષ સિસોદિયા
Visavadar Bypoll: ગુજરાતનો સિંહ ગોપાલ હવે વિધાનસભામાં ગર્જના કરશે- મનિષ સિસોદિયા
Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar Election:  ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
Visavadar Election: ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
Embed widget