શોધખોળ કરો

Shopian Encounter: સેનાએ 5 જવાનોની શહીદીનો બદલો લીધો, 24 કલાકમાં 5 આતંકવાદી ઠાર

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર એ તૈયબા (એલઈટી) ના છે.

Shopian Encounter: જમ્મુ  કાશ્મીરમાં સુરક્ષા દળોએ આપણા પાંચ સૈનિકોની શહીદીનો બદલો લીધો છે. આજે અહીં શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના એક આતંકવાદીની ઓળખ ગાંદરબલના મુખ્તાર શાહ તરીકે થઈ છે, જેણે બિહારનાં વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી.

આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર એ તૈયબા (એલઈટી) ના છે. હાલ બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગઈકાલે બે આતંકીઓ માર્યા ગયા હતા

જણાવી દઈએ કે ગઈ કાલે અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે આ દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં ખગુંડને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.

ગઈકાલે પાંચ જવાનો શહીદ થયા હતા

ખીણમાં આતંકવાદીઓ ફરી માથું ઉંચક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ સતત ઘાટીના લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે અથવા સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યા છે. ગઈ કાલે પૂંછના સૂરનકોટ એલઓસીને અડીને આવેલા વિસ્તારમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ઘૂસણખોરી અંગે બાતમી મળ્યા બાદ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ થયું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું, ત્યારબાદ એક JCO અને સેનાના 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

શહીદ જવાન ક્યાં રહેતા હતા?

  • નાયબ સુબેદાર જસવિંદર સિંહ (જેસીઓ)  પંજાબના કપૂરથલા જિલ્લાના માના તલવંડી ગામના રહેવાસી હતા.
  • નાઈક ​​મનદીપ સિંહ પંજાબના ગુરદાસપુર જિલ્લાના ચલ્હા ગામના હતા.
  • સિપાહી ગજન સિંહ પંજાબના રોપર જિલ્લાના પંચાન્દ્રા ગામના રહેવાસી હતા.
  • સિપાહી સરજ સિંહ યુપીના શાહજહાંપુર જિલ્લાના અખ્તરપુર ધવકલ ગામના હતા.
  • સિપાહી વૈશાખ H કેરળના કોલ્લમ જિલ્લાના ઓડાનવટ્ટમ ગામનો હતા.

આતંકવાદીઓ સૈનિકો તેમજ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે

આતંકવાદીઓની ખીણમાં ભય ફેલાવવાની આ એક નવી રણનીતિ છે. હવે તે દેશના સૈનિકો અને નેતાઓ તેમજ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યો છે અને તેમની વચ્ચે બિન મુસ્લિમોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ  કાશ્મીરમાં આતંક ઓછો થયો હતો, પરંતુ આ વર્ષે બદલાયેલી વ્યૂહરચના સાથે આતંકવાદ ફરી પોતાના પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

2021 ના ​​આ 10 મહિનામાં, ખીણમાં 103 આતંકવાદી હુમલા થયા છે, જેમાં 22 નાગરિકોના મોત થયા છે. જ્યારે 30 સૈનિકો શહીદ થયા, આ સાથે અમારા બહાદુર સૈનિકોએ 134 આતંકવાદીઓને પણ માર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget