શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે
કોલસા અને યુરેનિયમની ખાણો માટે જાણીતા ઝારખંડના ચૂંટણી મેદાનમાં સત્તારૂઢ ભાજપની હાર નિશ્ચિત છે. હાલ ભાજપ 24 અને કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 સીટ પર આગળ છે.
![આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે Jharkhand Election Results due to these reasons bjp loss another state આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/23161230/jmm.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાંચીઃ કોલસા અને યુરેનિયમની ખાણો માટે જાણીતા ઝારખંડના ચૂંટણી મેદાનમાં સત્તારૂઢ ભાજપની હાર નિશ્ચિત છે. હાલ ભાજપ 24 અને કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 સીટ પર આગળ છે. 5 વર્ષ સુધી ભાજપ સરકાર ચલાવ્યા બાદ મુખ્યમંત્રી રઘુબર દાસને ચૂંટણી પરિણામોમાં પક્ષના નેતાઓની નારાજગી ભારે પડી હોય તેમ લાગે છે.
સહયોગી પક્ષને નજરઅંદાજ કરવાનું પડ્યું ભારેઃ વર્ષ 2014 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સહયોગી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપને 37 અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનને 5 સીટો મળી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સહયોગી પક્ષને નજરઅંદાજ કર્યો અને એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી. જે ભાજપને ભારે પડ્યું.
વિપક્ષે બનાવ્યું મહાગઠબંધનઃ ઝારખંડમાં એક બાજુ ભાજપે સાથી પક્ષોને નજરઅંદાજ કર્યા ત્યાં વિપક્ષે એકજૂથ થઈને ચૂંટણી લડી અને ભાજપને ભોંય ભેગો કરી દીધો. હાલ ગઠબંધનને પૂર્ણ બહુમત મળી રહી છે. 2014ની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા, આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન અલગ-અલગ ચૂંટણી લડ્યું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે મહારાષ્ટ્ર અને હરિયાણામાંથી સબક લઈને જેએમએમ તથા આરજેડી સાથે ગઠબંધન બનાવી ચૂંટણી લડી અને સફળ પણ રહ્યા.
ભાજપના નેતાઓ જ ચૂંટણી પડેલા છોડ્યો સાથઃ ઝારખંડ ચૂંટણી પહેલા બીજેપીને તેમના જ નેતાઓએ મોટો ઝટકો આપ્યો. રાધાકૃષ્ણ કિશોરે બીજેપીનો હાથ છોડીને એજેએસયુ સાથે હાથ મિલાવ્યો. કિશોર એજેએસયુમાં જવાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો. ટિકિટ ફાળવણી દરમિયાન બીજેપીએ સરયૂ રાયને ટિકિટ નહોતી આપી, તેમમે મુખ્યંત્રી રઘુબર દાસ સામે જમશેદપુર ઈસ્ટથી ચૂંટણી લડી. હાલ સરયૂ રાય 7800 મતથી આગળ ચાલી રહ્યા છે.
આદિવાસી ચહેરો ન હોવોઃ ઝારખંડમાં 26.3 ટકા વસતી આદિવાસીઓની છે અને 28 સીટો આદિવાસીઓ માટે અનામત છે. મહાગઠબંધને જેએમએમના આદિવાસી નેતા હેમંત સોરેનને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા, જ્યારે બીજેપી તરફથી બિન-આદિવાસી સમુદાયના રઘુબર દાસને ફરી સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા. ઝારખંડના આદિવાસી સમુદાયમાં રઘુબર દાસની નીતિઓને લઈ ગુસ્સો હતો. આદિવાસીઓના માનવા મુજબ, રઘુબર દાસે 5 વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસી વિરોધી નીતિ બનાવી હતી. ખૂંટી યાત્રા દરમિયાન રઘુબર દાસ ઉપર આદિવાસીઓએ જૂત્તા અને ચંપલ ફેંકયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આદિવાસી સમુદાયમાંથી આવતા અર્જુન મુંડાને આ વખતે સીએમ બનાવવાની માંગ ઉઠી હતી. પરંતુ બીજેપીના ટોચના નેતૃત્વએ રઘુબર દાસ પર દાવ લગાવ્યો. આ દાવ ઉલ્ટો પડ્યો અને ભાજપે સત્તામાંથી જવું પડ્યું.
‘મહારાષ્ટ્ર’થી ડરેલી બીજેપીનો દાવ પડ્યો ઉંધોઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે 81માંથી 65 સીટો જીતીને એકલા હાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મહારાષ્ટ્રની ઘટનાથી ડરેલી ભાજપે ઝારખંડમાં કોઈ પક્ષ સાથે ગઠબંધન ન કર્યું. મહારાષ્ટ્રમાં બીજેપીએ શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી. આ ઉપરાંત ભાજપને આશા હતી કે તેઓ પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડશે તો સફળતા મળશે. આ રણનીતિ અંતર્ગત ભીજપે મોદી, શાહની અનેક રેલીઓ કરી, એટલું જ નહીં યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ઝારખંડના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. બીજેપીની આ રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)