શોધખોળ કરો

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે

Jharkhand Vidhan Sabha March Updates: ઝારખંડના અલગ-અલગ જિલ્લાઓમાંથી આજે વિદ્યાર્થીઓ રાંચી પહોંચી રહ્યા છે. અહીં શાંતિપૂર્ણ વિધાનસભા માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઝારખંડ વિદ્યાર્થીઓ JPSC-JSSC ગેરરીતિ સામે વિધાન સભા માર્ચ કરી.
  • વિદ્યાર્થીઓ CGL રદ કરવાની માંગ સાથે, સમાધાન સ્વીકારવા તૈયાર નથી.
  • ધારાસભ્ય મહતોએ CGL રદ ન કરવા બદલ સરકારની ટીકા કરી.

Jharkhand Vidhan Sabha March Updates: ઝારખંડના અલગ-અલગ જિલ્લાઓમાંથી આજે વિદ્યાર્થીઓ રાંચી પહોંચી રહ્યા છે. અહીં શાંતિપૂર્ણ વિધાનસભા માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું છે. ઝારખંડમાં JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે વિદ્યાર્થીઓએ સોમવાર, 10 ઓગસ્ટના રોજ વિધાનસભા ઘેરાવની જાહેરાત કરી છે.

 

'CGL રદ થાય ત્યારે જ પાછા જશે વિદ્યાર્થીઓ'

આંદોલનકારી વિદ્યાર્થીઓએ જાહેરાત કરી દીધી છે કે તેમની માંગ સ્પષ્ટ છે. CGL રદ થવું જોઈએ. જ્યાં સુધી CGL રદ નહીં થાય ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ. નારાજ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. સરકાર તેમની સાથે સાવકા જેવું વર્તન કરી રહી છે.

આ પણ વાંચો...Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

જયરામ કુમાર મહતોનો JMM પર પ્રહાર

રાંચીમાં વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન વચ્ચે, ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM)ના ધારાસભ્ય જયરામ કુમાર મહતોએ કહ્યું, "આ સરકારની નિષ્ફળતા છે. તેમણે (પરીક્ષા રદ કરવાની) માંગ માની લેવી જોઈતી હતી. સરકારે ઘણી માંગણીઓ માની પણ છે, તે માટે હું તેમનો આભાર માનું છું પરંતુ સૌથી મહત્વપૂર્ણ માંગ JSSC-CGL પરીક્ષાને રદ કરવા અંગે છે. આમાં સૌથી વધુ ગેરરીતિઓ થઈ છે. અભય તિવારીએ પોતે સ્વીકાર્યું છે કે તેમણે લગભગ 400 ઉમેદવારોની પસંદગી કરાવી હતી."

 

'અમે બેરિકેડિંગ કર્યું છે, વિદ્યાર્થીઓને રોક્યા નથી'- રાંચી પોલીસ

ભરતી પરીક્ષા સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને વિદ્યાર્થીઓ વિધાનસભા તરફ વિરોધ માર્ચ કાઢી રહ્યા છે. ઈન્સ્પેક્ટર દિગ્વિજય સિંહે કહ્યું, "આગળ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. અમે તેમને રોક્યા નથી; તેઓ પોતે જ અહીં રોકાયા છે. જો તેઓ આગળ વધશે, તો અમે નક્કી કરીશું કે તેમને ક્યાં રોકવા."

'અહીં ભાજપ સરકાર નથી, અહીં લાઠીચાર્જ નહીં થાય'

વિદ્યાર્થીઓ જૂના વિધાનસભા ગેટથી 500 મીટર આગળ પહોંચી ગયા છે. જ્યારે માર્ચમાં સામેલ વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે આગળ બેરિકેડિંગ લાગેલા છે, લાઠીચાર્જની આશંકા પણ છે તો જવાબમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આ દિલ્હી નથી, ન તો અહીં ભાજપની સરકાર છે. અહીં JMMની સરકાર છે, અહીં બાળકો પર લાઠીચાર્જ નહીં થાય. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારે અમને ભરોસો આપ્યો હતો કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ નહીં થાય અને અમે આ જ ભરોસા સાથે આગળ વધી રહ્યા છીએ.

CJPનું પ્રતિનિધિમંડળ પણ માર્ચમાં સામેલ

કોકરોચ જનતા પાર્ટીનું પ્રતિનિધિમંડળ પણ રાંચીની વિધાનસભા માર્ચનો હિસ્સો બનવા આવ્યું છે. એક વ્યક્તિએ જણાવ્યું કે તે દિલ્હીથી છે અને CJPની ટીમનો મેમ્બર છે. બાળકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને CJPનું ડેલીગેશન અહીં આવ્યું છે. બાળકોને સમર્થન આપવા આવ્યા છીએ. CJPની એ જ માંગ છે કે દેશભરમાં પેપર લીક બંધ કરવામાં આવે અને બાળકોના ભવિષ્ય સાથે થઈ રહેલી રમતને રોકવામાં આવે.

એક ટકા પણ સમાધાન નહીં કરે યુવા

ઝારખંડ સરકારનો દાવો છે કે વિદ્યાર્થીઓની 98 ટકા માંગણીઓ માની લેવામાં આવી છે. બાકીની માંગણીઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું વિદ્યાર્થીઓ આ 98 ટકાના સમાધાનથી સંતુષ્ટ નથી? તેના જવાબમાં દેવેન્દ્ર નાથ મહતોએ કહ્યું કે અમે બે શું એક ટકા પર પણ સમાધાન કરવા તૈયાર નથી. અમને અમારી 100 ટકા માંગણીઓ પૂરી જોઈએ છે. દેવેન્દ્ર મહતોનું કહેવું છે કે છેલ્લા 26 વર્ષથી યુવાનોને આવો જ છળ-કપટ આપવામાં આવી રહ્યો છે. યુવા કોમ્પ્રોમાઈઝ માટે નથી, રિવોલ્યુશન માટે છે.

Frequently Asked Questions

વિદ્યાર્થીઓ રાંચીમાં શા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે?

ઝારખંડમાં JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓ વિધાનસભા માર્ચ કરી રહ્યા છે. તેઓ 10 ઓગસ્ટના રોજ વિધાનસભા ઘેરાવની જાહેરાત કરી છે.

આંદોલનકારી વિદ્યાર્થીઓની મુખ્ય માંગ શું છે?

આંદોલનકારી વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે JSSC-CGL પરીક્ષા રદ થવી જોઈએ. જ્યાં સુધી CGL રદ નહીં થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરે.

વિદ્યાર્થીઓ તેમની માંગણીઓ પર સમાધાન કરવા તૈયાર છે ખરા?

ના, વિદ્યાર્થીઓ 98 ટકા માંગણીઓ પૂરી થવા છતાં પણ સમાધાન કરવા તૈયાર નથી. તેઓ તેમની 100 ટકા માંગણીઓ પૂરી થવા પર અડગ છે.

ધારાસભ્ય જયરામ કુમાર મહતોએ આ મુદ્દે શું કહ્યું?

તેમણે કહ્યું કે આ સરકારની નિષ્ફળતા છે અને તેમણે JSSC-CGL પરીક્ષા રદ કરવાની માંગ માની લેવી જોઈતી હતી, કારણ કે તેમાં સૌથી વધુ ગેરરીતિઓ થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- 'અમને લાઠીચાર્જનો ડર નથી, અહીં BJPની સરકાર નથી'
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- 'અમને લાઠીચાર્જનો ડર નથી, અહીં BJPની સરકાર નથી'
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
Embed widget