શોધખોળ કરો

કર્ણાટક સંકટઃ કુમારસ્વામીએ વિશ્વાસ મત રજૂ કર્યો, વોટિંગ પહેલા યેદિયુરપ્પાનો બહુમતનો દાવો

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે.

બેંગ્લોરઃ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન કુમારસ્વામીએ વિશ્વાસનો મત રજૂ કર્યો છે. જ્યારે વોટિંગ પહેલા યેદિયુરપ્પનો બહુમતનો દાવો કર્યો છે. બીએસપી ધારાસભ્ય એન મહેશ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ગૃહમાં હાજર નથી. કુમારસ્વામીએ કહ્યું કે, સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપણે કર્ણાટકના વિકાસ માટે કામ કરવું જોઈએ. તમામ મુદ્દા પર ચર્ચા અને પડકાર માટે તૈયાર છું. બીજેપી સરકારને અસ્થિર કરવામાં લાગી છે. લોકતાંત્રિક સરકાર સામે ડ્રામા કરવામાં આવી રહ્યો છે. આયારામ-ગયારામ ધારાસભ્યોનો સિલસિલો ચાલી રહ્યો છે. પક્ષ પલટો રોકી શકાય તે માટે આપણે કડક કાયદા બનાવવાની જરૂર છે. કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન કહ્યું, અહીં એક એવા ધારાસભ્ય છે જે દિવસમાં 3-3 પક્ષ બદલી રહ્યા છે. દેશનો રાજકીય માહોલ ખરાબ થઈ ગયો છે. કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ)ની ગઠબંધન સરકાર બની છે ત્યારથી જ આ સરકાર પર ખતરો તોળાતો રહ્યો છે. જોકે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર ખતરો વધી ગયો છે. આ સ્થિતિમાં હવે વિશ્વાસ મતની નોબત આવી પડી છે. રાજકીય પંડિતોના મતે કર્ણાટક સરકાર પડી શકે છે. 224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામાના ડ્રામા પહેલા બીજેપી પાસે 105 સભ્યો હતો. જ્યારે કોંગ્રેસના 76 અને જેડીએસના 37 સભ્યો હતો. જોક હવે ધારાસભ્યોના રાજીનામા બાદ સમીકરણો બદલાઈ ગયા છે. બળવાખોર ધારાસભ્યોના કારણે કોંગ્રેસના 66 અને જેડીએસના 34 સભ્યો જ રહ્યા છે. જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. આ કારણે જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં બીજેપી પણ ઓછી થઈ ગઈ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બે અપક્ષ, એક બીએસપી અને એક નોમિનેટેડ સભ્ય પણ છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય આપતા બુધવારે કહ્યું હતું કે આ અંગે વિધાનસભાના સ્પીકર નિર્ણય લઈ શકે છે. જેડીએસ-કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામની નજર કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર પર છે. જો વિધાનસભાના અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારી લે છે તો તેમની સરકાર પહેલા જ પડી શકે છે. ધોનીના કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું પરિવારની ઈચ્છા છે કે...... આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
Embed widget