શોધખોળ કરો

કર્ણાટક સંકટઃ કુમારસ્વામીએ વિશ્વાસ મત રજૂ કર્યો, વોટિંગ પહેલા યેદિયુરપ્પાનો બહુમતનો દાવો

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે.

બેંગ્લોરઃ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન કુમારસ્વામીએ વિશ્વાસનો મત રજૂ કર્યો છે. જ્યારે વોટિંગ પહેલા યેદિયુરપ્પનો બહુમતનો દાવો કર્યો છે. બીએસપી ધારાસભ્ય એન મહેશ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ગૃહમાં હાજર નથી. કુમારસ્વામીએ કહ્યું કે, સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપણે કર્ણાટકના વિકાસ માટે કામ કરવું જોઈએ. તમામ મુદ્દા પર ચર્ચા અને પડકાર માટે તૈયાર છું. બીજેપી સરકારને અસ્થિર કરવામાં લાગી છે. લોકતાંત્રિક સરકાર સામે ડ્રામા કરવામાં આવી રહ્યો છે. આયારામ-ગયારામ ધારાસભ્યોનો સિલસિલો ચાલી રહ્યો છે. પક્ષ પલટો રોકી શકાય તે માટે આપણે કડક કાયદા બનાવવાની જરૂર છે. કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન કહ્યું, અહીં એક એવા ધારાસભ્ય છે જે દિવસમાં 3-3 પક્ષ બદલી રહ્યા છે. દેશનો રાજકીય માહોલ ખરાબ થઈ ગયો છે. કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ)ની ગઠબંધન સરકાર બની છે ત્યારથી જ આ સરકાર પર ખતરો તોળાતો રહ્યો છે. જોકે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર ખતરો વધી ગયો છે. આ સ્થિતિમાં હવે વિશ્વાસ મતની નોબત આવી પડી છે. રાજકીય પંડિતોના મતે કર્ણાટક સરકાર પડી શકે છે. 224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામાના ડ્રામા પહેલા બીજેપી પાસે 105 સભ્યો હતો. જ્યારે કોંગ્રેસના 76 અને જેડીએસના 37 સભ્યો હતો. જોક હવે ધારાસભ્યોના રાજીનામા બાદ સમીકરણો બદલાઈ ગયા છે. બળવાખોર ધારાસભ્યોના કારણે કોંગ્રેસના 66 અને જેડીએસના 34 સભ્યો જ રહ્યા છે. જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. આ કારણે જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં બીજેપી પણ ઓછી થઈ ગઈ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બે અપક્ષ, એક બીએસપી અને એક નોમિનેટેડ સભ્ય પણ છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય આપતા બુધવારે કહ્યું હતું કે આ અંગે વિધાનસભાના સ્પીકર નિર્ણય લઈ શકે છે. જેડીએસ-કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામની નજર કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર પર છે. જો વિધાનસભાના અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારી લે છે તો તેમની સરકાર પહેલા જ પડી શકે છે. ધોનીના કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું પરિવારની ઈચ્છા છે કે...... આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી
OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી
Gas Pipelines : LPG કટોકટી વચ્ચે, સરકારે પાઇપલાઇન ગેસ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો કનેક્શન માટે શું કરશો?
Gas Pipelines : LPG કટોકટી વચ્ચે, સરકારે પાઇપલાઇન ગેસ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો કનેક્શન માટે શું કરશો?
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Iran-Israel War: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે PM મોદીએ લીધા 5 મોટા નિર્ણય, જાણો તેલ-ગેસ સંકટ મુદ્દે શું છે સરકારનો પ્લાન ?
Iran-Israel War: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે PM મોદીએ લીધા 5 મોટા નિર્ણય, જાણો તેલ-ગેસ સંકટ મુદ્દે શું છે સરકારનો પ્લાન ?

વિડિઓઝ

Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Embed widget