શોધખોળ કરો

કર્ણાટક સંકટઃ કુમારસ્વામીએ વિશ્વાસ મત રજૂ કર્યો, વોટિંગ પહેલા યેદિયુરપ્પાનો બહુમતનો દાવો

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે.

બેંગ્લોરઃ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન કુમારસ્વામીએ વિશ્વાસનો મત રજૂ કર્યો છે. જ્યારે વોટિંગ પહેલા યેદિયુરપ્પનો બહુમતનો દાવો કર્યો છે. બીએસપી ધારાસભ્ય એન મહેશ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ગૃહમાં હાજર નથી. કુમારસ્વામીએ કહ્યું કે, સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપણે કર્ણાટકના વિકાસ માટે કામ કરવું જોઈએ. તમામ મુદ્દા પર ચર્ચા અને પડકાર માટે તૈયાર છું. બીજેપી સરકારને અસ્થિર કરવામાં લાગી છે. લોકતાંત્રિક સરકાર સામે ડ્રામા કરવામાં આવી રહ્યો છે. આયારામ-ગયારામ ધારાસભ્યોનો સિલસિલો ચાલી રહ્યો છે. પક્ષ પલટો રોકી શકાય તે માટે આપણે કડક કાયદા બનાવવાની જરૂર છે. કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન કહ્યું, અહીં એક એવા ધારાસભ્ય છે જે દિવસમાં 3-3 પક્ષ બદલી રહ્યા છે. દેશનો રાજકીય માહોલ ખરાબ થઈ ગયો છે. કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ)ની ગઠબંધન સરકાર બની છે ત્યારથી જ આ સરકાર પર ખતરો તોળાતો રહ્યો છે. જોકે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર ખતરો વધી ગયો છે. આ સ્થિતિમાં હવે વિશ્વાસ મતની નોબત આવી પડી છે. રાજકીય પંડિતોના મતે કર્ણાટક સરકાર પડી શકે છે. 224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામાના ડ્રામા પહેલા બીજેપી પાસે 105 સભ્યો હતો. જ્યારે કોંગ્રેસના 76 અને જેડીએસના 37 સભ્યો હતો. જોક હવે ધારાસભ્યોના રાજીનામા બાદ સમીકરણો બદલાઈ ગયા છે. બળવાખોર ધારાસભ્યોના કારણે કોંગ્રેસના 66 અને જેડીએસના 34 સભ્યો જ રહ્યા છે. જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. આ કારણે જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં બીજેપી પણ ઓછી થઈ ગઈ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બે અપક્ષ, એક બીએસપી અને એક નોમિનેટેડ સભ્ય પણ છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય આપતા બુધવારે કહ્યું હતું કે આ અંગે વિધાનસભાના સ્પીકર નિર્ણય લઈ શકે છે. જેડીએસ-કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામની નજર કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર પર છે. જો વિધાનસભાના અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારી લે છે તો તેમની સરકાર પહેલા જ પડી શકે છે. ધોનીના કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું પરિવારની ઈચ્છા છે કે...... આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Hydrogen Train Fare: PM મોદી આવતીકાલે દેશને સોંપશે પ્રથમ હાઈડ્રોજન ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ?
Hydrogen Train Fare: PM મોદી આવતીકાલે દેશને સોંપશે પ્રથમ હાઈડ્રોજન ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ?

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget