શોધખોળ કરો

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. પેન્શનધારકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ છે.

Life Certificate Submission: કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. જો તમે હજી સુધી લાઇફ સર્ટિફિકેટ અથવા જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું નથી, તો તમારી પાસે આ કામ કરવા માટે માત્ર 9 દિવસ બાકી છે. 30 નવેમ્બર 2024 પહેલાં તરત જ તમારું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરો નહી તો તમને મળતું પેન્શન બંધ થઈ શકે છે. 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે, જ્યારે અન્ય પેન્શનરો 1 નવેમ્બર, 2024થી 30 નવેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.

લાઇફ સર્ટિફિકેટ ક્યારે સબમિટ કરી શકો છો?

પેન્શનધારકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ છે. પેન્શન મેળવતા પેન્શનરોએ 30મી નવેમ્બર 2024 સુધીમાં પોતાનું જીવિત હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરવું મહત્વપૂર્ણ છે જેથી તેઓને કોઈપણ પ્રતિબંધ વિના પેન્શન મળતું રહે. પેન્શનરો દ્વારા સબમિટ કરવામાં આવેલ લાઇફ સર્ટિફિકેટ એક વર્ષ માટે માન્ય છે. જે પેન્શનરોએ ગયા વર્ષે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું તે 30 નવેમ્બર 2024 સુધી જ માન્ય છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાથી પેન્શન મેળવવા માટે પેન્શનરોએ 30મી નવેમ્બર સુધીમાં એટલે કે આગામી 9 દિવસમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે.

સુપર સિનિયર સિટીઝન એટલે કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા મળે છે. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2024 વચ્ચે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.

લાઇફ સર્ટિફિકેટ સબમિટ ન કરવાના ગેરફાયદા!

જો વૃદ્ધ પેન્શનરો 30મી નવેમ્બર 2024 સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા નહીં કરે તો તેમને ડિસેમ્બર મહિનાથી પેન્શન મળવાનું બંધ થઈ જશે. UIDAI ના FAQ મુજબ, "એકવાર લાઇફ સર્ટિફિકેટ પેન્શન સિસ્ટમમાં અપડેટ થઈ જાય, પછી પેન્શન ચૂકવણીની તારીખે બાકીની રકમ સાથે પેન્શન ચૂકવવામાં આવશે. પરંતુ લાઇફ સર્ટિફિકેટ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે જમા કરવામાં આવશે નહીં. જો જમા કરવામાં આવે તો યોગ્ય પ્રક્રિયા મુજબ CPAO મારફત સક્ષમ અધિકારીની મંજૂરી પછી જ પેન્શન રિલીઝ કરવામાં આવશે.

જીવન પ્રમાણપત્ર આ રીતે સબમિટ કરી શકાય છે 

ડોર સ્ટેપ બેન્કિંગ 

આ દિવસોમાં બેન્કો ગ્રાહકોની સુવિધા માટે ડોર સ્ટેપ બેન્કિંગ મારફતે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા પ્રદાન કરી રહી છે. આ માટે તમે બેન્કની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર જાવ. આ સિવાય ડોર સ્ટેપ બેંકિંગનું બુકિંગ બેંકના ટોલ ફ્રી નંબર દ્વારા પણ કરી શકાય છે. આ પછી બેન્ક અધિકારી ઘરે આવે છે અને પેન્શનર પાસેથી લાઇફ સર્ટિફિકેટ લે છે. ઘણી બેન્કો વરિષ્ઠ નાગરિકોને મફતમાં આ સુવિધા આપે છે. ઘણી બેન્કો આ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ લે છે.

જીવન પ્રમાણ પોર્ટલ

પેન્શનરો ઘર બેઠા ઓનલાઇન પણ જીવન પ્રમાણ પોર્ટલ મારફતે પોતાનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આ માટે તેમને UIDAI ઓળખ કાર્ડની જરૂર પડશે. બાયોમેટ્રિક વેરિફિકેશન મારફતે આ પોર્ટલ પર પોતાના જીવિત હોવાનું પ્રમાણ જમા કરાવી શકો છો.

પોસ્ટમેન મારફતે જમા કરાવો લાઇફ સર્ટિફિકેટ

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (IPPB) તેના ગ્રાહકોને પોસ્ટમેન મારફતે લાઇફ સર્ટિફિકેટ પ્રમાણપત્રની ચકાસણી કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. આ પણ ડોર સ્ટેપ બેંકિંગ જેવી જ સુવિધા છે, જેમાં પોસ્ટમેન પેન્શનરોના ઘરે આવે છે અને તેમના લાઇફ સર્ટિફિકેટ એકત્રિત કરે છે.

ઉમંગ એપ દ્વારા જમા કરાવી શકાશે

ઉમંગ એપ દ્વારા લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા પણ સબમિટ કરી શકાય છે. આ માટે તમારે EPFO ​​ઓફિસ જવાની જરૂર નહીં પડે. ઉમંગ એપ્લિકેશન દ્વારા લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે તમારી પાસે 12 અંકનો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો આવશ્યક છે.

લાઇફ સર્ટિફિકેટ PDA દ્વારા સબમિટ કરી શકાય છે

પેન્શન ડિસ્બર્સિંગ ઓથોરિટી એટલે કે પોસ્ટ ઓફિસ અથવા બેન્કની મુલાકાત લઈને તેમનું લાઇફ સર્ટિફિકેટ પણ સબમિટ કરી શકે છે. બેન્કમાં એક ફોર્મ ભરવાનું રહેશે.

ફેસ ઓન્થેટિકેશનથી જમા કરાવી શકો છો પ્રમાણપત્ર

પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) ફેસ ઓન્થેટિકેશનથી મારફતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા પ્રદાન કરે છે. આ માટે તમારે ફક્ત Google Play Store પર જઈને ‘Aadhaar Face RD Application’ ડાઉનલોડ કરીને એપ પર જવું પડશે. એપની મદદથી તમે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?Gondal Crime : ગોંડલમાં સગીરને માર મારવા મામલે પોલીસનો મોટો ખુલાસોBhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Embed widget