![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karnataka : શ્રદ્ધા હત્યાકાંડ પાર્ટ-2 જેવો કિસ્સો, સગા દિકરાએ પિતાના 32 ટુકડા કર્યા
હત્યાનો ખુલાસો થયા બાદ પોલીસે મૃતકના શરીરના અંગો કબજે કર્યા હતા. આરોપી વિઠ્ઠલા કુલાલીની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
![Karnataka : શ્રદ્ધા હત્યાકાંડ પાર્ટ-2 જેવો કિસ્સો, સગા દિકરાએ પિતાના 32 ટુકડા કર્યા Karnataka man Kills his Father and Cut his Body into 32 Pieces like Shraddha Murder Case Karnataka : શ્રદ્ધા હત્યાકાંડ પાર્ટ-2 જેવો કિસ્સો, સગા દિકરાએ પિતાના 32 ટુકડા કર્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/d4377f241979d0a257eb77ce5581a2c4167094289401781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka Crime News: રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા વાકર હત્યા કેસની ગુથ્થી હજી ઉકેલાઈ નથી ત્યાં શ્રદ્ધા જેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકમાં એક પુત્ર દ્વારા તેના સગા પિતાની નિર્મમ હત્યા કરી તેમના શરીરના 32 ટુકડા કરી નાખ્યા હોવાનું ખુલ્યું છે. કર્ણાટકના બાગલકોટમાં આ ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ શરીરના અંગોને બોરવેલમાં ફેંકી દીધા હતા.
હત્યાનો ખુલાસો થયા બાદ પોલીસે મૃતકના શરીરના અંગો કબજે કર્યા હતા. આરોપી વિઠ્ઠલા કુલાલીની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 6 ડિસેમ્બરે 20 વર્ષીય વિઠ્ઠલાએ કથિત રીતે ગુસ્સામાં તેના પિતા પરશુરામ કુલાલીની (53) લોખંડના સળિયાથી હત્યા કરી નાખી હતી. પરશુરામ દારૂના નશામાં આવીને તેના બે પુત્રોમાં નાના વિઠ્ઠલા સાથે અવારનવાર દુર્વ્યવહાર કરતો હતો. પરશુરામની પત્ની અને મોટો પુત્ર અલગ રહે છે.
લોખંડના સળિયા વડે હત્યા
ગત મંગળવારે પણ વિઠ્ઠલાના પિતાએ તેની સાથે દુષ્કર્મ શરૂ કર્યું હતું. જેથી ગુસ્સે ભરાયેલા પુત્રએ લોખંડનો સળિયો ઉપાડી પિતાની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ વિઠ્ઠલાએ પરશુરામના શરીરના 32 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ તેણે આ ટુકડાઓ બાગલકોટ જિલ્લાના મુધોલની હદમાં મંતુર બાયપાસ પાસે સ્થિત તેના ખેતરમાં બોરવેલમાં ફેંકી દીધા હતાં.
આ રીતે હત્યાનો ખુલાસો થયો
બોરવેલમાંથી દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કથિત હત્યામાં વિઠ્ઠલાની ભૂમિકા પર શંકા ઉપજી હતી. વિઠ્ઠલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેણે કથિત રીતે ગુનો કબૂલી લીધો હતો. પોલીસે બોરવેલમાંથી મૃતદેહના વિચ્છેદ થયેલા ભાગોને બહાર કાઢ્યા છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
શ્રદ્ધાના ડેડ બોડીના પણ ટુકડા કરવામાં આવ્યા
દિલ્હીમાં શ્રદ્ધા નામની યુવતીની હત્યા બાદ આરોપીઓએ તેના શરીરના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા છે, જે શ્રદ્ધા વોકરનો લિવ-ઈન પાર્ટનર છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આફતાબે ગત મે મહિનામાં અંગત ઝઘડા બાદ શ્રદ્ધાની હત્યા કરી હતી. આરોપીઓએ મૃતદેહના 35 ટુકડા કર્યા અને ઘરની અંદરના ફ્રીજમાં રાખ્યા. આરોપીઓ દરરોજ રાત્રે આ ટુકડાઓને જંગલમાં ફેંકવા જતા હતા. આરોપી આફતાબ પોલીસ કસ્ટડીમાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)