શોધખોળ કરો

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે.

Arvind Kejriwal News: દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે.  તેમણે આરોપ લગાવ્યો કે આજે દિલ્હીની મધ્યમાં અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બહુ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારવા જઈ રહ્યું છે, તેથી તે બોખલાઈ ગયું છે.

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આજે ગ્રેટર કૈલાશ વિધાનસભાના સાવિત્રીનગર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જીની પદયાત્રા હતી અને હજારો મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને યુવાનો તેમને મળવા આવ્યા,  આશીર્વાદ આપવા માટે તેમના ઘરેથી બહાર નિકળ્યા હતા. આ સમયે એક માણસ તેમના પર હુમલો કરે છે. હું કેજરીવાલજી સાથે હતો. એક વ્યક્તિએ તેમના પર સ્પિરિટ ફેંક્યુ અને તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

'તેના એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી'

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, "એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી." અરવિંદ કેજરીવાલ અને મારા પર સ્પિરિટ પડી હતી. તે  સ્પિરિટ તો ફેંકી શક્યો પરંતુ આગ ન લગાવી શક્યો. આજે દિલ્હીની વચ્ચો વચ્ચ અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ ગંભીર બાબત છે.

ભાજપ બેઈમાની પર ઉતરી ગયું છે  - સૌરભ ભારદ્વાજ

ભારદ્વાજે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલ જી પગપાળા પદયાત્રા કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. દિલ્હીમાં ભાજપને ત્રીજી વખત હાર સામે જોવા મળી રહી છે.   જ્યારે કોઈ હારે છે, ત્યારે તે બેઈમાની કરી જીતવાનો પ્રયાસ કરે છે. ભાજપ બેઈમાની પર ઉતરી આવ્યું છે. 

અરવિંદ કેજરીવાલ પર ઘણી વખત હુમલો થયો- ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ પહેલીવાર નથી. વિકાસપુરીમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસ જોતી જ રહી, હસતી રહી. ભાજપના ગુંડાઓ સામે પોલીસ હાથ જોડતી રહી. નાંગલોઈમાં  રોશન  હલવાઈને ત્યા ફાયરિંગ કેસને લઈને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભાજપના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. બુરાડીમાં પણ હુમલો થયો હતો. આજે પણ સ્પિરિટ ફેંકવામાં આવી હતી, માત્ર માચિસથી સળગાવવાની વાર હતી. 

સૌરભ ભારદ્વાજે આરોપીની ઓળખનો દાવો કર્યો

AAP નેતાએ આરોપીઓની ઓળખ કરવાનો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું, “આ હુમલો કરનાર યુવક અશોક કુમાર છે. અડધા કલાકમાં તેનું ફેસબુક એકાઉન્ટ મેળવી લીધુ છે. તેણે તે આરોપીના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. તેમણે દાવો કર્યો કે, "તે ભાજપનો ઔપચારિક સભ્ય છે." આ આજે દિલ્હી હારી રહ્યા છે તો પરેશાન છે. આખું દિલ્હી જોઈ રહ્યું છે. ભાજપના લોકો પણ પદયાત્રાઓ અને રેલીઓ  કરે છે, તેમના પર હુમલાઓ થતા નથી.  

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget