શોધખોળ કરો

શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ

ચંદીગઢમાં વિપક્ષના દાવાઓને ફગાવતા કેજરીવાલે કહ્યું કે પંજાબમાં ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને બદલવાની વિપક્ષની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ચંદીગઢમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કેજરીવાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભગવંત માન તેમના મુખ્યમંત્રી તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે અને વિપક્ષના દાવાઓમાં કોઈ તથ્ય નથી.

પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ પક્ષો સતત એવા દાવા કરી રહ્યા હતા કે મુખ્યમંત્રી ભગવંત માનને ટૂંક સમયમાં તેમના પદ પરથી હટાવવામાં આવશે. આ અંગે પૂછવામાં આવતા અરવિંદ કેજરીવાલે મીડિયાને કહ્યું હતું કે આ દાવાઓમાં કોઈ સચ્ચાઈ નથી અને ભગવંત માન આગામી પાંચ વર્ષ સુધી પંજાબના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા રહેશે, તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

રવિવારે (16 માર્ચ) કેજરીવાલે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા અને ભ્રષ્ટાચારને રાજ્યની સૌથી મોટી સમસ્યાઓ ગણાવી હતી. આ પહેલા અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં પાર્ટીની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ હોશિયારપુરમાં 10 દિવસીય વિપશ્યના ધ્યાન સત્ર પૂર્ણ કર્યા બાદ શનિવારે અમૃતસર પહોંચ્યા હતા.

સુવર્ણ મંદિરમાં કેજરીવાલની સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબ સરકારના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ સહિત આમ આદમી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. AAPએ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કુલ 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતીને જંગી બહુમતી સાથે સરકાર બનાવી હતી.

અમૃતસરમાં પત્રકારો સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું હતું કે ભગવંત માને 16 માર્ચ, 2022ના રોજ પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને આજે તેઓ ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુરુઓએ તેમને માર્ગદર્શન આપ્યું છે અને લોકોને નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની શક્તિ આપી છે. કેજરીવાલે પંજાબમાં નશાની લત અને ભ્રષ્ટાચારને સૌથી મોટી સમસ્યા ગણાવીને કહ્યું કે પંજાબના ત્રણ કરોડ લોકો આ બંને સમસ્યાઓ સામે લડવા માટે એકસાથે આવ્યા છે અને આ ન્યાયની લડાઈ છે. તેમણે ઉમેર્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેઓ તેમને પંજાબના લોકોની સેવા કરવાનું ચાલુ રાખવાની શક્તિ આપે, કારણ કે AAP સત્તા માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા માટે આવી છે.

AAPના રાજકીય વિરોધીઓ દ્વારા પંજાબના મુખ્યમંત્રીને બદલવાના કરવામાં આવી રહેલા દાવાઓ પર કેજરીવાલે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું હતું કે ભગવંત માન તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ ચોક્કસપણે પૂરો કરશે અને વિપક્ષને આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ એવો દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના 32 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ પક્ષ બદલવા માટે તૈયાર છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભગવંત માન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે. જો કે, અરવિંદ કેજરીવાલના આ નિવેદનથી વિપક્ષના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે.

આ પહેલા મુખ્યમંત્રી ભગવંત માને પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં જે કામ કર્યું છે તે છેલ્લા 70 વર્ષમાં પણ નથી થયું. તેમણે કહ્યું હતું કે પંજાબના યુવાનોને 52,000 સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને રાજ્યમાં ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેને તેઓ અંતિમ તબક્કામાં લઈ જશે. માને 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે તેમની સરકારે પંજાબીઓને આપેલા દરેક વચનને પૂરા કરવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સારા ઇરાદાથી કામ કર્યું છે. તેમણે ડ્રગ્સના જોખમને ખતમ કરવા માટે ચાલી રહેલી લડાઈને તાર્કિક નિષ્કર્ષ સુધી લઈ જવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો અને તેમના પર વિશ્વાસ કરવા બદલ પંજાબના ત્રણ કરોડ લોકોનો આભાર માન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget