શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલે સાત મુખ્યમંત્રીને ડિનર માટે બોલાવ્યા, પંજાબના CM સિવાય કોઇ ના આવ્યું

સંયુક્ત વિપક્ષથી લઈને ત્રીજો મોરચો બનાવવા માટે થઈ રહેલા આ તમામ પ્રયાસોના કોઈ પરિણામ દેખાઈ રહ્યા નથી.

2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા વિપક્ષના નેતૃત્વની કમાન પોતાને સોંપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેલંગણાના સીએમ કેસીઆરથી લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્ધારા બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી ત્રીજો મોરચો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, સંયુક્ત વિપક્ષથી લઈને ત્રીજો મોરચો બનાવવા માટે થઈ રહેલા આ તમામ પ્રયાસોના કોઈ પરિણામ દેખાઈ રહ્યા નથી.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સાત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને 18 માર્ચે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. રાજકીય વર્તુળોમાં તેને ત્રીજો મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી હતી. જો કે, વિપક્ષી પાર્ટીઓના સીએમએ અલગ-અલગ કારણોસર ડિનર કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા.

વિરોધ પક્ષોના વ્યૂહાત્મક અંતરનું કારણ શું છે?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, કેરળ, તમિલનાડુ અને પંજાબના મુખ્યમંત્રીઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જો કે આ ડિનર કાર્યક્રમમાં માત્ર પંજાબના સીએમ ભગવંત માન જ સામેલ થયા હતા. JMM નેતા હેમંત સોરેન, DMK નેતા MK સ્ટાલિન, TMC સુપ્રીમો મમતા બેનર્જી, JDU નેતા નીતીશ કુમાર, BRS નેતા KCR અને CPIM નેતા પિનરાઈ વિજયને આ કાર્યક્રમથી અંતર રાખ્યું હતું.

રાત્રિભોજન માટે આ નેતાઓનો ઇનકાર એ પીએમ નરેન્દ્ર મોદી સામે બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી ત્રીજો મોરચો બનાવવાની સીએમ કેજરીવાલની યોજનાને મોટો ફટકો છે. વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓના જે નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમણે આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી વ્યૂહાત્મક રીતે અંતર જાળવી રાખ્યું હતું.

અહેવાલ મુજબ, ઝારખંડ સરકારે હેમંત સોરેનને પત્ર મળવા વિશે જણાવ્યું હતું, પરંતુ ઝારખંડ વિધાનસભામાં બજેટ સત્રને કારણે એપ્રિલમાં ડિનર પ્રોગ્રામનું આયોજન કરવાની માંગ કરી હતી. કેરળના સીએમ પિનરાઈ વિજયને ડિનર માટે આમંત્રણ મળવા વિશે કહ્યું છે, પરંતુ તેમણે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો.

Amritpal Singh Arrest Operation: અમૃતપાલ સિંહ જે બાઇક પર ભાગ્યો હતો તે બિનવાસી હાલતમાં મળ્યુઃ પંજાબ પોલીસ

Amritpal Singh Arrest Operation: પંજાબ પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ જેની સાથે ભાગી રહ્યો હતો તે પ્લેટિના બાઇક જલંધરથી લગભગ 45 કિમી દૂર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે દારાપુર વિસ્તારમાંથી બાઇક કબજે કરી હતી અને તે દારાપુર વિસ્તારમાં કેનાલના કિનારે પાર્ક કરેલી હાલતમાં મળ્યું હતું.

થોડા દિવસ પહેલા અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઇવરે કર્યું હતું સરેંડર

18 માર્ચ, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ પોતાને રજૂ કર્યા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget