શોધખોળ કરો

કર્મનિષ્ઠાને સલામઃ બજેટ પ્રિન્ટિંગની વચ્ચે થયું પિતાનું નિધન, પરંતુ ન છોડી ફરજ

20 જાન્યુઆરીથી 100થી વધારે અધિકારીઓ નાણા મંત્રાલયમાં બજેટ બનાવવામાં લાગી ગયા હતા.

નવી દિલ્હીઃ મોદી સરાકરનું બીજું બજેટ લોકસભામાં રજૂ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. આ પહેલા એક માર્મિક ઘટના ઘટી છે. બજેટ છાપકામમાં વ્યસ્ત રહેલ ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માના પિતાનું 26 જાન્યુઆરીએ નિધન થયું હતું. પરંતુ શર્મા બજેટ છાપકામ કાર્યક્રમથી અલગ ન થયા અને ઘરે ન ગયા. તમને  જણાવીએ કે, બજેટ છાપકામ સાથે જોડાયેલ અધિકાકરીઓને ખાસ નિયમ ફોલો કરવાનો હોય છે. શર્માએ પણ તેનો ફોલો કર્યો. તેમણે કહ્યું કે, બજેટ છાપકામ પૂરું થયા બાદ જ તે ઘરે જશે. નાણાં મંત્રાલયમાં રહેલ તમામ અધિકારીઓએ શર્માની આ કર્મઠતાને સલામ કરી છે. 20 જાન્યુઆરીથી 100થી વધારે અધિકારીઓ નાણા મંત્રાલયમાં બજેટ બનાવવામાં લાગી ગયા હતા. બજેટ રજૂ થયાના લગભગ એક સપ્તાહ પહેલા જ આ લોકોને નોર્થ બ્લોકમાં નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. તેમને 24 કલાક ખાસ જગ્યાએ જ રહેવાનું હતું બજેટ રજૂ થયા બાદ જ તે ઘરે જઈ શકે છે. ગુપ્ત રીતે થાય છે બજેટનું છાપકામ બજેટ બન્યા બાદ બજેટનું છાપકામ ખૂબ જ ગુપ્ત પ્રક્રિયા હેઠળ થાય છે. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાને કારણે વાતાવરળ સરળ બનાવવા માટે હલવા સેરમનીનું આયોજન થાય છે. બજેટ છાપકામ પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારી અને કર્મચારી 10 દિવસ માટે સમગ્ર દુનિયાથી કપાઈ જાય છે. બજેટ બનાવવાનું કામ કરી રહેલ 50 અધિકારીઓએ અને કર્મચારીઓ ઘર જઈ નથી શકતા. નાણામંત્રી અને ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવે છે. બજેટ બનવાની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હોય છે. કોઈપણ બહારની વ્યક્તિ નાણા મંત્રાલયમાં જઈ નથી શકતી. બજેટ બનવામાં લાગેલ કર્મચારી અને અધિકારી કોઈ પણ બહારની વ્યક્તિને મળી નથી શકતા. જો કોઈ વિઝિટરનું આવવું ખૂબ જ જરૂરી હોયતો તેમને સુરક્ષા કર્મચારીઓની નજર હેઠળ મોકલવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget