શોધખોળ કરો
દેશના આ જિલ્લાઓમાં એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન, લોકો બહાર પણ નહીં નિકળી શકે, જાણો વિગત
કોરોના મહામારીના કારણે દેશના કેટલાક રાજ્યોના જિલ્લાઓમાં આજથી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન નાંખવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. અનલોક-1ની શરૂઆત બાદ દેશમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાત લાખની નજીક પહોંચી છે. જેની સાથે કોરોના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. કોરોના મહામારીના કારણે દેશના કેટલાક રાજ્યોના જિલ્લાઓમાં આજથી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન નાંખવામાં આવ્યું છે. જેમાં માત્ર જરૂરી વસ્તુઓને જ મંજૂરી આપવામાં આવશે. તિરુવનંતપુરમઃ કેરળના તિરુવનંતપુરમમાં કોરોના વાયરસના વધારે મામલા સામે આવી રહ્યા છે. તિરુવનંતપુરમમાં આજે સવારે 6 વાગ્યથી ટ્રિપલ લૉકડાઉન લાગુ થઈ ગયું છે, જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. ટ્રિપલ લૉકડાઉન દરમિયાન વધારે કડડ પ્રતિબંધો હશે, ફક્ત જરૂરી સેવાઓ માટે જ મંજૂરી આપવામાં આવશે. કેરળના પ્રવાસન મંત્રીના કહેવા મુજબ, લોકોએ બહાર નીકળવાનું સાહસ ન કરવું જોઈએ. વાયરસને ફેલાતો અટકાવવા આપણે કડક નિયંત્રણોની જરૂર છે. ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશના ઈટાનગર સ્થિત કેપિટલ કોમ્પલેક્સમાં કોરોના વાયરસના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 6 જુલાઈથી એક સપ્તાહ સુધી લોકડાઉન જાહેર કર્યુ છે. મુખ્ય સચિવ નરેશ કુમારે જણાવ્યું કે, 6 જુલાઈના રોડ સવારે પાંચ વાગ્યાથી 12 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી ઈટાનગર કેપિટલ કોમ્પલેક્સમાં લોકડાઉન લાગુ રહેશે. છેલ્લા એક સપ્તાહમાં વધેલા કોરોના સંક્રમણના મામલાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લીધો છે. લોકડાઉનનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 425 લોકોના મોત થયા છે અને 24,248 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો




















