શોધખોળ કરો
દેશના આ જિલ્લાઓમાં લદાયું છે સંપૂર્ણ લોકડાઉન, જાણો ક્યા રાજ્યમાં છે આ જિલ્લા ?
ઓડિશા સરકાર દ્વારા ગંજમ, કટક, જાજપુર, ખુર્દા જિલ્લા અને રોરકેલા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કહેર વધી રહ્યો છે. જેને લઈ કેટલાક રાજ્યોએ અમુક જિલ્લામાં કોરોના વાયરસને સંક્રમણને રોકવા સંપૂર્ણ લોકડાઉની જાહેરાત કરી છે. જ્યારે કેટલા રાજ્યોએ વીકેન્ડ લોકાઉન લાદવાની જાહેરાત કરી છે. કેરળઃ પૂંથુરા અને પુલ્લુવિલામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના રિપોર્ટ બાદ તિરુવનંતપુરમ જિલ્લા તંત્ર દ્વારા શનિવારની મધરાતથી 10 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેની જાહેરાત મુખ્યમંત્રી પી વિજયને કરી હતી. ઓડિશાઃ ઓડિશા સરકાર દ્વારા ગંજમ, કટક, જાજપુર, ખુર્દા જિલ્લા અને રોરકેલા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 31 જુલાઈએ લોકડાઉન પૂરું થશે. લોકડાઉન દરમિયાન ટેસ્ટિંગ, ટ્રેસિંગ ઝડપી બનાવાશે. લોકોની મૂવમેન્ટ પર નિયંત્રણ રહેશે. આસામઃ આસામ સરકાર દ્વારા કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લામાં આંતર જિલ્લા પરિવહન પર 22 જુલાઈથી જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી તમામ પ્રકારના પરિવહન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન મેડિકલ ઇમરજન્સીના વાહનોને છૂટ રહેશે. જ્યારે અંતિમ સંસ્કારમાં ડેપ્યુટી કમિશ્નર કે જિલ્લા અધિકારીની મંજૂરી લેવાની રહેશે.
ઉત્તરાખંડઃ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરના સંક્રમણ પર કાબુ મેળવવા દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, ઉધમ સિંહ નગર એમ ચાર જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ છે. પુડ્ડુચેરીઃ કોવિડ-19ના કેસ વધતાં યનમ તંત્ર દ્વારા રવિવારથી નિયંત્રણો વધારે કડક કરવામાં આવ્યા છે. અહીંયા 19 જુલાઈથી કર્ફ્યુનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર સરકારે સોમવારે સાંગલી જિલ્લામાં 22 જુલાઈથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે. લોકડાઉન 22 જુલાઈ રાત્રે 10 વાગ્યાથી અમલી બનશે અને 30 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 587 લોકોના મોત થયા છે અને 37,148 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,55,191 પર પહોંચી છે અને 28,084 લોકોના મોત થયા છે. 7,24,578 લોકો સાજા થઈ ગયા છે અને 4,02,529 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો























