શોધખોળ કરો

Lok sabha election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'આ લડાઈ બંધારણને બચાવવાની હતી'

લોકસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.  તેમણે કહ્યું કે આ ચૂંટણી બંધારણને બચાવવા માટે હતી.

Rahul Gandhi's Press Conference: લોકસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.  તેમણે કહ્યું કે આ ચૂંટણી બંધારણને બચાવવા માટે હતી. આ ચૂંટણી ભાજપ, CBI, ED સામે હતી. ઈન્ડિયા ગઠબંધનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંવિધાન બચાવવા લોકો એક થયા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી માત્ર એક રાજકીય પક્ષ સામે નથી લડી, અમે આ ચૂંટણી ભાજપ, હિન્દુસ્તાનની સંસ્થા, CBI-ED, આ તમામ સામે લડ્યા છીએ, કારણ કે આ સંસ્થાઓને નરેન્દ્ર મોદી જી અને અમિત શાહજીએ ડરાવી ધમકાવી. 

'દેશને એક નવું વિઝન આપ્યું'

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'અમે આ લડાઈ બંધારણને બચાવવા માટે લડી હતી. તેઓએ અમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. અમારી પાર્ટી તોડી નાખી. બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તમામ ગઠબંધન ભાગીદારોનું સન્માન કર્યું છે અને અમને દેશ માટે એક નવું વિઝન આપ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, "તેને (સંવિધાન) બચાવવાનું કામ ભારતના સૌથી ગરીબ લોકોએ કર્યું છે. આ બંધારણને બચાવવા માટે કામદારો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, પછાત લોકોએ કામ કર્યું છે."

સરકાર બનાવવાના સવાલ પર આ વાત કહી

જેડીયુ અને ટીડીપી સાથે મળીને સરકાર બનાવવાની સંભાવના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે અગાઉ કહ્યું હતું તેમ, અમે આવતીકાલે ઈન્ડિયા ગઠબંધનના અમારા સહયોગીઓ સાથે બેઠક યોજીશું. તેના પછી જ આ સંદર્ભમાં કંઈક કહી શકાશે. અમે અમારા ગઠબંધન ભાગીદારો સાથે બેઠક યોજીશું." અમે પક્ષો સાથે વાત કર્યા વિના આ અંગે કોઈ નિવેદન આપવા માંગતા નથી."

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'આ લડાઈ બંધારણને બચાવવા માટે હતી. હું કોંગ્રેસના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું. જ્યારે કોંગ્રેસનું ખાતું બંધ થયું ત્યારે મને લાગ્યું કે લોકો તેમના બંધારણ માટે લડશે. આ વાત સાચી સાબિત થઈ. કોંગ્રેસે દેશને સ્પષ્ટ રીતે રસ્તો બતાવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું, 'ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષ સામે નથી લડી, અમે આ ચૂંટણી બંધારણને બચાવવા માટે લડ્યા હતા. અદાણીના શેરની હાલત જોઈ હશે. જનતા પણ બંનેને એકસાથે જુએ છે, દેશે સ્પષ્ટ કહ્યું છે કે અમને મોદી અને શાહ નથી જોઈતા. અમે અમારા વચનો પૂરા કરીશું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "હું બંને બેઠકો પર જીત્યો છું. હું વાયનાડ અને રાયબરેલીના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું થોડો સમય લઈશ અને નક્કી કરીશ કે હું કઈ બેઠક રહીશ.  હજુ નક્કી કર્યું નથી."

'ઘોષણા પત્રને લઈને જૂઠાણું ફેલાવવામાં આવ્યું'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "કોંગ્રેસના ઢંઢેરાને લઈને મોદીજી દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણા જનતા સમજી ગઈ છે. રાહુલ ગાંધીએ તેમની બંને યાત્રાઓ, ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કરોડો લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓને સાંભળી હતી. તે સમસ્યાઓનો ઉકેલ  અમારા અભિયાનનો આધાર બની"

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget