શોધખોળ કરો

Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ, દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેશે આ વિભાગો

Maharashtra Cabinet Expansion:સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે.

Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે આ અઠવાડિયે તેમની  કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગૃહવિભાગ સંભાળે તેવી ધારણા છે. કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ કેબિનેટનો ભાગ હશે. વિસ્તરણ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની પ્રક્રિયા શરૂ થશે.

આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ 
મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ એટલે કે 8  ઓગસ્ટથી શરૂ થયા અઠવાડિયામાં જ કેબિનેટનું વિસ્તરણ થશે. મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે દિલ્હીમાં છે. તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લીધો હતો. 

શિંદે - ફડણવીસના શપથને 35 દિવસ થઇ ગયા 
સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી શકે છે.

કેબિનેટ વિસ્તરણમાં વિલંબ પર CM શિંદેએ શું કહ્યું?
શનિવારે સીએમ શિંદેએ કહ્યું હતું કે કેબિનેટના વિસ્તરણમાં વિલંબને કારણે રાજ્ય સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી. ટૂંક સમયમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 

મંત્રીઓની યાદી પણ તૈયાર થઇ ગઈ 
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર કેબિનેટમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને સીએમ શિંદે બીજેપી હાઈકમાન્ડના કેટલાક નેતાઓ સાથે વાતચીત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

વિપક્ષી નેતાઓએ કરી ટીકા 
એકનાથ શિંદે અને ફડણવીસે 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી બંનેએ બે સભ્યોના મંત્રીમંડળ તરીકે સેવા આપી છે, જેની એનસીપી નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના વિપક્ષી નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. 

વિપક્ષની ટીકાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અજિત પવાર વિપક્ષના નેતા છે, તેમણે આવી વાતો કરવી પડશે. તેઓ ભૂલી ગયા છે કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે પહેલા 32 દિવસમાં માત્ર પાંચ મંત્રી હતા. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget