શોધખોળ કરો

Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ, દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેશે આ વિભાગો

Maharashtra Cabinet Expansion:સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે.

Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે આ અઠવાડિયે તેમની  કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગૃહવિભાગ સંભાળે તેવી ધારણા છે. કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ કેબિનેટનો ભાગ હશે. વિસ્તરણ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની પ્રક્રિયા શરૂ થશે.

આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ 
મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ એટલે કે 8  ઓગસ્ટથી શરૂ થયા અઠવાડિયામાં જ કેબિનેટનું વિસ્તરણ થશે. મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે દિલ્હીમાં છે. તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લીધો હતો. 

શિંદે - ફડણવીસના શપથને 35 દિવસ થઇ ગયા 
સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી શકે છે.

કેબિનેટ વિસ્તરણમાં વિલંબ પર CM શિંદેએ શું કહ્યું?
શનિવારે સીએમ શિંદેએ કહ્યું હતું કે કેબિનેટના વિસ્તરણમાં વિલંબને કારણે રાજ્ય સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી. ટૂંક સમયમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 

મંત્રીઓની યાદી પણ તૈયાર થઇ ગઈ 
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર કેબિનેટમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને સીએમ શિંદે બીજેપી હાઈકમાન્ડના કેટલાક નેતાઓ સાથે વાતચીત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

વિપક્ષી નેતાઓએ કરી ટીકા 
એકનાથ શિંદે અને ફડણવીસે 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી બંનેએ બે સભ્યોના મંત્રીમંડળ તરીકે સેવા આપી છે, જેની એનસીપી નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના વિપક્ષી નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. 

વિપક્ષની ટીકાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અજિત પવાર વિપક્ષના નેતા છે, તેમણે આવી વાતો કરવી પડશે. તેઓ ભૂલી ગયા છે કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે પહેલા 32 દિવસમાં માત્ર પાંચ મંત્રી હતા. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget