શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
Maharashtra Elections Result: જી પરમેશ્વરે મહારાષ્ટ્ર ચૂંટણીઓ અંગે કહ્યું- અમને વિદર્ભ ક્ષેત્રમાં ઓછામાં ઓછી 50 બેઠકોની આશા હતી, પરંતુ જ્યાં સુધી EVM છે ત્યાં સુધી કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ.

Maharashtra Assembly Elections Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી પરમેશ્વરે MVAની હારનું ઠીકરું શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર ઢોળ્યો છે. તેમણે રવિવારે (24 નવેમ્બર, 2024) કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં યોજના મુજબ પ્રચાર કર્યો નહીં.
જી પરમેશ્વરે કહ્યું, "લાડલી બહેન યોજના તેમના (મહાયુતી) માટે ખૂબ પ્રભાવશાળી રહી. તેમણે (મહાયુતી) છેલ્લા છ મહિનાથી આ આપવાનું શરૂ કર્યું. આ બધું તેમના હાથમાં છે. અમે છેલ્લે ટિકિટની જાહેરાત કરી અને પાર્ટીમાં કન્ફ્યુઝન પેદા થઈ ગયું. શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે તાલમેલ યોગ્ય નહોતો. તેમણે યોજના મુજબ પ્રચાર જ કર્યો નહીં અને વિદર્ભે અમને વધુ બેઠકો આપી નહીં."
'EVM હેક કરવામાં આવ્યું છે'
જી પરમેશ્વર મહારાષ્ટ્ર ચૂંટણીઓના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પર્યવેક્ષક પણ છે. તેમણે કહ્યું કે અમને વિદર્ભ ક્ષેત્રમાં ઓછામાં ઓછી 50 બેઠકોની આશા હતી, પરંતુ જ્યાં સુધી EVM છે ત્યાં સુધી કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ હશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને મહા વિકાસ અઘાડી (MVA)એ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું છે. આ બધા જાણે છે. અમે અને મહારાષ્ટ્રમાં અમારા કેટલાક નેતાઓ ગઈકાલે (શનિવારે) સાથે બેઠા અને વિશ્લેષણ કર્યું.
કોંગ્રેસ નેતાઓની બેઠક
જી પરમેશ્વરે કહ્યું, "અમે અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ અને પૂર્વ મુખ્યમંત્રી સાથે બેઠક કરી અને અમને જાણવા મળ્યું છે કે EVM હેક કરવામાં આવ્યા છે. દરેક મતદાર વિભાગમાં નહીં પરંતુ કેટલીક ચોક્કસ જગ્યાઓ પર. મારું માનવું છે કે EVM હેક કરવામાં આવ્યા છે."
કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન
મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ 101 બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર 16 બેઠકો જ જીતી, જે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અનુસાર, 1977ની લોકસભા ચૂંટણીઓમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની 48માંથી 20 બેઠકો અત્યાર સુધીની સૌથી ઓછી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કોઈ વિપક્ષનો નેતા નહીં હોય
ભાજપના નેતૃત્વવાળા મહાયુતી ગઠબંધને શનિવારે મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખી અને 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતી. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, "મહારાષ્ટ્રમાં આ વખતે કોઈ વિપક્ષનો નેતા (LOP) નહીં હોય. આ કોંગ્રેસ અને વિપક્ષના ખોટા કામોનું પરિણામ છે." બાવનકુલેએ કહ્યું કે લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે ખૂબ ખોટા સમાચારો ફેલાવ્યા હતા અને મતદારોને છેતર્યા હતા. એટલે, જ્યારે લોકોને વિધાનસભા ચૂંટણીઓમાં આ વિશે ખબર પડી ત્યારે મતદારોએ તેમને બહાર કરી દીધા, જેમ તેમણે હરિયાણામાં કર્યું હતું."
આ પણ વાંચોઃ
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















