શોધખોળ કરો

Bharat Jodo Yatra:કૉંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધી સાથે કરી પદયાત્રા

મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા છે. શુક્રવારે (11 નવેમ્બર) હિંગોલીમાં તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી હતી.

Bharat Jodo Yatra In Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા છે. શુક્રવારે (11 નવેમ્બર) હિંગોલીમાં તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી હતી. ગુરુવારે યાત્રાના 64માં દિવસે નાંદેડમાં રાહુલ ગાંધી સાથે NCP નેતા સુપ્રિયા સુલે પણ યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને એનસીપી નેતા જીતેન્દ્ર અવ્હાડે પણ ભાગ લીધો હતો.

એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના હતા, પરંતુ તેઓ સ્વાસ્થ્યના કારણોસર તેમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુરુવારે (10 નવેમ્બર) જણાવ્યું હતું કે તેઓ (પવાર)ને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોની આરામ કરવાની સલાહને ધ્યાનમાં રાખીને તેઓ યાત્રામાં ભાગ લેશે નહીં.

ઉદ્ધવ જૂથે શું કહ્યું ?

ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ગુરુવારે (10 નવેમ્બર) કહ્યું કે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' કડવાશના વાતાવરણને ખતમ કરવા અને દેશને એક કરવા માટેનું આંદોલન છે. રાઉતે મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારને તેમના ઘરે મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી.

ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તમિલનાડુ બાદ આ પદયાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા થઈને મહારાષ્ટ્ર પહોંચી છે. આ યાત્રા રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે. આ દરમિયાન 382 કિમીનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.   

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget