શોધખોળ કરો

Maharashtra Lockdown: મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવા અંગે મોટા સમાચાર, જાણો આજે જ લેવાઈ જશે નિર્ણય

કોરોના પર કાબુ મેળવવા રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે. જેની જાહેરાત આજે સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 50 હજારથી (Maharashtra Corona Cases) વધારે કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના પર કાબુ મેળવવા રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે. જેની જાહેરાત આજે સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન (Lockdown) નાંખવામાં આવશે તેવા અહેવાલ સામે આવતાં જ મોટાભાગના શહેરોમાં લોકોએ ખરીદી માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો (Social Distance) ભંગ કરાવી લાઇનો લગાવી હતી. રાશનની દુકાનો, મોલમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી અસલમ શેખે (Aslam Shaikh) એબીપી ન્યૂઝને જણાવ્યું કે, “મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈ આજે સાંજે ફેંસલો થઈ શકે છે. અમે કડકાઈ વધારી છે પરંતુ અફડાતફડી ન મચે તે વાતનું અમે ધ્યાન રાખ્યું છે. કોરોનાની ચેનને (Coronavirus Chain) તોડવા અંગે આજે સાંજે કોઈ મોટો ફેંસલો લેવામાં આવી શકે છે.”

તેમણે લોકડાઉનને લઈ કહ્યું, “એક તરફ કોનાના કેસ મહારાષ્ટ્રમાં વધારે જોવા મળી રહ્યા છે. કોરોનાના શરૂઆતના તબક્કામાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ હતા. આજે અમે ટ્રેસિંગ વધારે કરી રહ્યા છીએ તેથી કેસની સંખ્યા વધી છે. આ પહેલા અમે ક્યારેય લોકડાઉન અંગે વિચાર કર્યો નહોતો પરંતુ આજની તારીખે જે રીતે કેસ વધી રહ્યા છે તેને જોતાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.  ગત વખતની જેમ લોકડાઉનની જાહેરાત થાય અને લોકો ફસાઈ જાય તેમ અમે નથી ઈચ્છતા. અમે ધીમે ધીમે નિયંત્રણો કડક બનાવી રહ્યા છીએ. જેમકે નાઈટ કરફ્યૂ (Night Curfew) લગાવ્યો, વીકેન્ડ લોકડાઉન (Weekend Lockdown લગાવ્યું, તેમ છતાં ધારી અસર ન જોવા મળતાં મોટો ફેંસલો લેવામાં આવશે.”

કોરોનાને લઈ મહારાષ્ટ્રની શું છે સ્થિતિ

સોમવારે રાજ્યમાં 51,751 નવા કેસ નોંધાયા હતા. જયારે 258 લોકોના મોત થયા હતા.  મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 34,58,996 પર પહોંચી છે. જ્યારે 28,34,473 કોરોનાથી મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 58,245 થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,64,746 છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 879 લોકોના મોત થયા છે. જોકે 97,168 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  એક કરોડ 36 લાખ 89 હજાર 4537

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 22 લાખ 53 હજાર 697

કુલ એક્ટિવ કેસ - 12 લાખ 64 હજાર 698

કુલ મોત - એક લાખ 71 હજાર 058

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget