શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
કોલકત્તામાં જેપી નડ્ડાએ કહ્યુ- CAA પર પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે મમતા બેનર્જી
નાગરિકતા સંશોધન કાયદા અંગે મમતા દીદી અને તેમના તમામ નેતાઓ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે
કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા કોલકત્તામાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી કાઢી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ કે, નાગરિકતા સંશોધન કાયદા અંગે મમતા દીદી અને તેમના તમામ નેતાઓ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને રાજ્યને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નડ્ડાએ કહ્યુ કે, આ કાયદો નાગરિકતા આપવા માટે છે કોઇની નાગરિકતા છીનવવા માટે નહીં. નડ્ડાએ કહ્યું કે, ભારતમા આપણા મુસ્લિમ ભાઇ આગળ વધે. અનેક મુસ્લિમ ભાઇઓ ચીફ જસ્ટિસ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા, ઉપરાષ્ટ્રપતિ બન્યા, મોટા-મોટા પદો પર બેઠા. અમે તેમન સમાન નજરે જોયા. આગળ વધવા માટે અમે પુરી મદદ કરી.
નડ્ડાએ કહ્યું કે, મમતા બેનર્જી મત બેન્કની રાજનીતિ કરી રહી છે. વડાપ્રધાન મોદીનું લક્ષ્ય પાડોશી દેશોમાં ઉત્પીડન કરવામાં આવી રહેલા લોકોનુ ભલું કરવાનું છે. રેલીની ભીડને જોઇને ખ્યાલ આવે છે કે લોકો નાગરિકતા સંશોધન કાયદાને લઇને સરકારની સાથે છે.गांधी जी ने कहा था कि पाकिस्तान में रहने वाले हिंदू, सिख हर नजरिए से भारत आ सकते हैं। उस स्थिति में उनके जीवन को सामान्य बनाना भारत सरकार का कर्तव्य है। गांधी जी ने 1947 को कहा था, जिसको मोदी जी ने 11 दिसंबर 2019 को पूरा किया: श्री @JPNadda #CAAJanJagran pic.twitter.com/IgsjPhEfPd
— BJP (@BJP4India) December 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion