શોધખોળ કરો

ટ્રમ્પના ડિનરમાં સામેલ નહીં થાય મનમોહન સિંહ અને ગુલામ નબી આઝાદ, કોંગ્રેસે કર્યો બોયકોટ, જાણો શું છે કારણ

લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્મામાં રાષ્ટ્રપતિ ભવનમાંથી મોકલવામાં આવેલ ડિનર માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં મંગળવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી આયોજિત ડીનરમાં પૂર્વ પીએમ અને કોંગ્રેનસા વરિષ્ઠ નેતા મનમોહન સિંહ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સામેલ નહીં થાય. આ જાણકારી કોંગ્રેસ પાર્ટીના સૂત્રોએ આપી છે. આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ ડિનરમાં ન જવાની વાત કહી હતી. કહેવાય છે કે, કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને ડિનરમાં આમંત્રિત ન કરવાથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે. માટે પાર્ટીએ ડિનરનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્મામાં રાષ્ટ્રપતિ ભવનમાંથી મોકલવામાં આવેલ ડિનર માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ડિનરમાં આમંત્રિત ન કરવાને કારણે પ્રતિવાદમાં તેમણે આ નિર્ણય કર્યો છે. અધીરે કહ્યું કે, પીએમ મોદી જ્યારે અમેરિકાના પ્રવાસ પર ગયા હતા, ત્યારે ત્યાં આયોજિત થયેલ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં અમેરિકાના બન્ને મુખ્ય રાજનીતિક પક્ષ રિપબ્લિક અને ડેમોક્રેટ્સના પ્રતિનિધિ હાજર હતા, પરંતુ અહીં ટ્રમ્પના સન્મામાં આયોજિત ડિનરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રિત કરવામાં આવ્યા નથી. પીએમ મોદીની ટીકા કરતાં અધીરે કહ્યું હતું કે, લોકતંત્રમાં શિષ્ટાચાર નામની પણ કોઈ વસ્તું હોય છે. હવે તો ભારતનો મતલબ જ મોદી શો લાગે છે. કોંગ્રેસ 134 વર્ષ જૂની રાજનીતિક પાર્ટી છે. વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોમાં કોંગ્રેસના નેતા સ્વીકૃત છે, તેમ છતાં ટ્રમ્પના ડિનરમાં સોનિયા ગાંધીને ન બોલાવવામાં આવ્યા. આ અપમાનજકન છે. અધીરે ટ્રમ્પના ભારત પ્રવાસ પર કેન્દ્ર તરફથી કરવામાં આવી રહેલ ખર્ચ પણ સવાલ ઉઠાવ્યા. અધિર રંજન ઉપરાંત મનમોહન સિંહે પણ સોમવારે રાષ્ટ્રપતિ કાર્યાલયને ફોન કરીને ડિનરમાં ન સામેલ થવાની જાણકારી આપી છે. સૂત્રો પ્રમાણે, ગુલામ નબી આઝાદે પહેલા ડિનરમાં આવવા પર સહમતિ આપી હતી, પરંતુ હવે તેમણે પણ આવવાની ના પાડી દીધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ
શું અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત આવશે? ઈરાનના એક નિર્ણયથી જાગી આશા
શું અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત આવશે? ઈરાનના એક નિર્ણયથી જાગી આશા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની અછત છે? પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની અછત છે? પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
Embed widget