શોધખોળ કરો

Maratha Reservation: મનોજ જરાંગેએ ઉપવાસ સમાપ્ત કર્યા, સરકારને બે મહિનાનો આપ્યો સમય 

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા મનોજ જરાંગે તેમના 9 દિવસના ઉપવાસને સમાપ્ત કર્યા છે. તેમણે સરકારને મરાઠા અનામતના મુદ્દે બે મહિનાનો સમય આપ્યો છે.

Maratha Reservation News: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા મનોજ જરાંગે તેમના 9 દિવસના ઉપવાસને સમાપ્ત કર્યા છે. તેમણે સરકારને મરાઠા અનામતના મુદ્દે બે મહિનાનો સમય આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ દ્વારા તેમના ઉપવાસને સમાપ્ત કરવા માટે સમજાવ્યા પછી, તેમણે કહ્યું કે જ્યાં સુધી તમામ મરાઠાઓને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ તેમના ઘરમાં પ્રવેશ કરશે નહીં. જરાંગેએ કહ્યું કે જો બે મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો તેઓ મુંબઈમાં મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરશે. ગુરુવારે (2 નવેમ્બર) મહારાષ્ટ્રના ચાર મંત્રીઓ મનોજ જરાંગેને મળ્યા હતા. તેમની અપીલ પર જરાંગે તેમના ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો.

મનોજ જરાંગે જાલનામાં લોકોને સંબોધિત કર્યા. જ્યારે તેમણે પૂછ્યું કે શું સરકારને સમય આપવો જોઈએ તો ત્યાં હાજર લોકોએ 'હા'માં જવાબ આપ્યો. તેમણે કહ્યું, "મહારાષ્ટ્રમાં અમારા તમામ ભાઈઓને આરક્ષણ મળવું જોઈએ, આ અમારી ભૂમિકા છે. તેથી જ હું થોડો સમય આપવા માટે સંમત થયો છું. અમે ઘણા દિવસો સુધી રાહ જોઈ છે. ચાલો આપણે પણ થોડું વધારે કરીએ. અમે રોકાઈશું નહીં. જ્યાં સુધી અમને આરક્ષણ ન મળે ત્યાં સુધી."

તેમણે કહ્યુ રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે અમારી પાસે સમય માગ્યો છે. કોઇ વાંધો નહી. તેને થોડો વધુ સમય આપો. અમે 40 વર્ષ આપ્યા છે, થોડો વધુ સમય આપીએ, પરંતુ અનામત આંદોલન અટકશે નહીં. તમે તમારો સમય લો. પરંતુ અમને અનામત આપો, પરંતુ હવે આપેલો આ સમય છેલ્લો હશે.

મનોજ જરાંગેએ કહ્યું કે, "સરકારે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવા સીધી સંમતિ આપી છે. મરાઠાવાડામાં 13 હજાર કુણબીની વિગતો મળી હતી જેના આધારે સરકારે અનામત આપવાની વાત કરી હતી, જેને અમે ફગાવી દીધી હતી અને હવે સરકાર સીધી રીતે અનામત આપવાની વાત માની છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું હતું. અનેક નેતાઓના ઘરો અને પાર્ટી કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં અંદાજે 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 160 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આંદોલનના હિંસક સ્વરૂપને જોતા વહીવટીતંત્રે રાજ્યના ટોચના નેતાઓના ઘરો અને રાજકીય પક્ષોના કાર્યાલયો પર સુરક્ષા વધારી દીધી હતી. 

મનોજ જરાગે પાટીલે કહ્યુ અમે સરકારને 2 જાન્યુઆરી સુધીનો સમય આપી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યુ કે હાલ પૂરતી તે ભૂખ હડતાળ છોડી રહ્યા છે. આખરે 9 દિવસના ઉપવાસ બાદ મનોજ જરાંગે પાટિલના ભૂખ હડતાળનો અંત આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget