શોધખોળ કરો

Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...

Air India Food: એર ઈન્ડિયાએ આ ભૂલ માટે યાત્રીની માફી માંગી છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે ફૂડમાં હાજર ધાતુનો ટુકડો સુરક્ષા તપાસ વિના અંદર કેવી રીતે પહોંચ્યો.

Air India Food: ટ્રેન અને પ્લેનમાં આપવામાં આવતા ફૂડને લઈને વિવિધ પ્રકારની ફરિયાદો આવતી રહે છે. એક ચોંકાવનારી ઘટનામાં એર ઈન્ડિયાના વિમાનમાં એક મુસાફરને તેના ખોરાકમાં બ્લેડ મળી આવી હતી. તે એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહ્યો હતો. આ બ્લેડ ખોરાકમાં અંદર ઘુસેલી હતી. યાત્રીએ મોંમાં કંઈક અજુગતું અનુભવ્યા પછી, તેણે ખોરાક બહાર કાઢી નાખ્યો જેમાંથી આ બ્લેડનો ટુકડો બહાર આવ્યો. જોકે, મુસાફરને કોઈ ઈજા થઈ ન હતી.

પેસેન્જર મેથ્યુરેસ પોલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની સાથે બનેલી ઘટના વિશે લખ્યું છે. તેની તસવીરો પણ પોસ્ટ કરી છે. તેણે કહ્યું કે એર ઈન્ડિયાનું ભોજન પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેણે તેના ભોજન માટે એરલાઇનમાંથી શેકેલા શક્કરીયા અને અંજીર ચાટ મંગાવી હતી. તેમાં એક ધાતુનો ટુકડો મળી આવ્યો, જે બ્લેડ જેવો હતો. ખોરાક ચાવતી વખતે મને આની જાણ થઈ. ભગવાનનો આભાર કે મને કોઈ ઈજા થઈ નથી. આવી ઘટનાઓથી એર ઈન્ડિયાની ઈમેજને ઠેસ પહોંચી શકે છે. પેસેન્જરે લખ્યું છે કે જો કોઈ બાળક આ ખોરાક ખાતો હોત તો મેડિકલ ઈમરજન્સી ઊભી થઈ શકે છે.

એર ઈન્ડિયાએ પેસેન્જરની માફી માંગી
એર ઈન્ડિયાએ તરત જ આ ટ્વિટનો જવાબ આપ્યો અને લખ્યું કે અમને આ જાણીને દુઃખ થયું છે. અમે કોઈપણ મુસાફરને આવી સેવા આપવા માંગતા નથી. કૃપા કરીને તમારો સીટ નંબર અને બુકિંગ વિગતો અમારી સાથે શેર કરો. અમે તમને ખાતરી આપીએ છીએ કે આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. એર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ ધાતુનો ટુકડો વેજિટેબલ કટિંગ મશીનનો છે. આ અંગે કેટરિંગ પાર્ટનર સાથે પણ ચર્ચા કરવામાં આવશે. એરલાઈન્સ ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ઊભી ન થાય તે સુનિશ્ચિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. એર ઈન્ડિયાએ આ ઘટના માટે પેસેન્જરની માફી પણ માંગી છે.

સોશિયલ મીડિયા પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે
સોશિયલ મીડિયા પર આ ઘટના પર રસપ્રદ કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે તેને કટિંગ ડાઇનિંગ એક્સપિરિયંસ ગણાવ્યો છે. કેટલાકે તેને હોરર સ્ટોરી ગણાવી છે તો કેટલાકે તેને સિક્યોરિટી લેપ્સ ગણાવી છે. લોકો પૂછી રહ્યા છે કે ખાદ્યપદાર્થની અંદર હાજર ધાતુનો ટુકડો તપાસ કર્યા વિના અંદર કેવી રીતે પહોંચ્યો. એક યુઝરે લખ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેને ફૂગથી દૂષિત ખોરાક આપવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાનSurendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપTapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
Embed widget