શોધખોળ કરો

AIIMSના ડિરેક્ટરની વાત માનીને મોદી સરકાર દેશમાં 'મિનિ લોકડાઉન' લાદશે? ડો. ગુલેરિયાએ કહ્યું, કોરોનાને રોકવા 'મિનિ લોકડાઉન' જ વિકલ્પ

ડો. ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં 'મિનિ લોકડાઉન'ની જરૂર છે. તેમણે કહ્યું કે, કોરોનાના વધતા કેસોની ગતિને રોકવી હોય તો દેશમાં 'મિનિ લોકડાઉન' (Mini Lockdown) લગાવવું જ પડશે.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં 'મિનિ લોકડાઉન' (Mini Lockdown) લાદશે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) (AIIMS) ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ (Dr Randeep Guleria) દેશમાં 'મિનિ લોકડાઉન' લાદવાની તરફેણ કરતાં આ અટકળો તેજ બની છે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં 'મિનિ લોકડાઉન'ની જરૂર છે. તેમણે કહ્યું કે, કોરોનાના વધતા કેસોની ગતિને રોકવી હોય તો દેશમાં 'મિનિ લોકડાઉન' (Mini Lockdown) લગાવવું જ પડશે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતી રોજ જ ગંભીર બની રહી છે અને લોકો કોરોના તરફ બેદરકારી બતાવી રહ્યા છે આ સંજોગોમાં 'મિનિ લોકડાઉન' જ કોરોનાને રોકવા માટેનો વિકલ્પ છે.

દેશમાં સતત વધી રહ્યાં છે કોરોનાના દર્દીઓ....
દેશમાં  શનિવારે કોરોનાના નવા કેસ 90 હજારથી વધુ સામે નોંધાયા. જો આ જ સ્થિતિ રહી તો પાછળના બધા રેકોર્ડ કોરોનાનું સંક્રમણ રોકી દેશે. આ નાજુક સ્થિતિમાં સ્વાભાવિક છે કે, બધાના મનમાં એક જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે, શું ફરી લોકડાઉનની સ્થિતિ આવશે.

જો કે લોકડાઉન મુદ્દે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી. જો કે આ મુદ્દે દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાએ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. રણદીપ ગુલરિયાએ વધતી જતી કોરોનાની રફતારને રોકવા માટે મીની લોકડાઉન જરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘જો આજ રીતે કોરોનાની રફતાર વધતી રહી તો મીની લોકડાઉન લગાવવું જરૂરી બની જશે.

એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાએ કહ્યું કે, દિવસે દિવસે દેશની કોરોનાની સ્થિતિ બદતર થઇ રહી છે. લોકો પણ કોરોનાની સ્થિતિને ગંભીરતાથી નથી લઇ રહ્યાં. આ સ્થિતિમા લોકડાઉન જ એક વિકલ્પ છે. જેનાથી સંક્રમણને ફેલાતું રોકી શકાય. ગુલેરિયાએ કહ્યું કે. ચિંતાજનક બાબત એ છે કે, બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. જો કે બાળકોની ઇમ્યુનિટી સારી હોવાથી ઝડપથી રિકવર થઇ જાય છે.

વેક્સિનેશનની પ્રક્રિયા મુદ્દે વાત કરતા દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાએ જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશમાં વેક્શિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઇએ. તેમણે કહ્યું કે, દેશને બે અરબ ડોલર વેક્સિનની જરૂર છે. તેમણે કહ્યું કે વેક્સિનેશન બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. વેક્સિન લીધાના બે ડોઝ બાદ 30 દિવસ બાદ તેનો પ્રભાવ શરીરમાં જોવા મળે છે એટલે વેક્સિન લીધાના તરત જ બાદ નિશ્ચિત થઇ જવાની જરૂર નથી. વર્તમાન સ્થિતિમાં સતત શહેરોમાં કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. જે ચિંતાજનક સ્થિતિ છે.

 દેશમાં કોરોના સંક્રમણના મામલા ફરીથી રેકોર્ડબ્રેક રીતે વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 93 હજારથી વધુ કેસ આવતાં હકકંપ મચી ગયો છે. જેને લઈ પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જે બાદ દેશના અમુક રાજ્યોમાં ફરી લોકડાઉન લદાય તેવી અટકળો શરૂ થઈ છે. આ બેઠકમાં બધા સિનિયર ઓફિસર્સ, કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, ડો. વિનોદ પૌલ હાજર રહ્યાં  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Embed widget