પાકિસ્તાને ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ તો સેનાએ લાહોરની ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી દીધી: MEA
Operation Sindoor: ગુરુવારે (8 મે, 2025) ના રોજ ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલય દ્વારા બીજી પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

Operation Sindoor: ગુરુવારે (8 મે, 2025) ના રોજ ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલય દ્વારા બીજી પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂર સંબંધિત નવી માહિતી આપી રહ્યા છે.
VIDEO | MEA Press Briefing on #OperationSindoor: "On the intervening night of May 7 and May 8, Pakistan attempted to engage a number of military targets in number of northern and western India using drones and missiles. These places included Awantipora, Srinagar, Jammu,… pic.twitter.com/YokbHuKIWl
— Press Trust of India (@PTI_News) May 8, 2025
'લાહોરની એર ડીફેન્સ પ્રણાલી નષ્ટ
વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. અમે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતના 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. બદલામાં, લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો.
VIDEO | MEA Press Briefing on Operation Sindoor: Colonel Sofia Qureshi says, "During the press conference on May 7, it was made clear that Pakistani military sites were not targeted. But on intervening night of May 7 and 8, Pakistan targeted several military sites in North and… pic.twitter.com/2SYQ5WEqeJ
— Press Trust of India (@PTI_News) May 8, 2025
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું- 'પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા'
કર્નલ સોફિયા કુરેશીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "ઓપરેશન સિંદૂર પછી, અમે સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા નથી. 7-8 મેની રાત્રે, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ડ્રોન અને મિસાઇલોથી અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ મળેલો કાટમાળ આનો પુરાવો છે. આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી હતી. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો હતો.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું- 'પાકિસ્તાને કોઈ કારણ વગર LoC પર ગોળીબારની તીવ્રતા વધારી'
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને કોઈ પણ કારણ વગર નિયંત્રણ રેખા પર ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે. પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ મોર્ટારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓમાં 16 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું-'પાકિસ્તાને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા'
વિદેશ સચિવે કહ્યું, "અમારા પર ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો આરોપ પાયાવિહોણો છે. અમે આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ગઈકાલે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ગુરુદ્વારાને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાની હુમલાઓમાં અત્યાર સુધીમાં 16 નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ઉશ્કેરણીજનક છે. અમે જવાબ આપી રહ્યા છીએ."























