શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકડાઉન 5ને લઈ ચાલી રહેલી તમામ અટકળો ગૃહ મંત્રાલયે ફગાવી, હજુ કોઈ ફેંસલો નથી લીધો
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉન 5ની જાહેરાત કરશે.
![લોકડાઉન 5ને લઈ ચાલી રહેલી તમામ અટકળો ગૃહ મંત્રાલયે ફગાવી, હજુ કોઈ ફેંસલો નથી લીધો Ministry of home affairs on lockdown 5 claim report લોકડાઉન 5ને લઈ ચાલી રહેલી તમામ અટકળો ગૃહ મંત્રાલયે ફગાવી, હજુ કોઈ ફેંસલો નથી લીધો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/27222310/mha2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ 31 મે બાદ પણ કોરોના વાયરસ સંક્રમણ ફેલાતુ રોકવા માટે લોકડાઉન ચાલુ રહેશે ? જેને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી ચે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકડાઉન 5ને લઈ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અને અટકળોને ફગાવી દીધી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉન 5ની જાહેરાત કરશે. ગૃહ મંત્રાલયના સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલને ખોટા ગણાવીને ગૃહ મંત્રાલયે કહ્યું કે, તેમાં કરવામાં આવેલા તમામ દાવા માત્ર અટકળો છે.
દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે છેલ્લા 64 દિવસથી લોકડાઉન છે. હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે, જેમાં છૂટછાટ આપવામાં આવી છે. આ લોકડાઉન 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે.
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,51,767 પર પહોંચી છે. 4337 લોકોના મોત થયા છે અને 64,426 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
![લોકડાઉન 5ને લઈ ચાલી રહેલી તમામ અટકળો ગૃહ મંત્રાલયે ફગાવી, હજુ કોઈ ફેંસલો નથી લીધો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/27222431/mha1.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)