શોધખોળ કરો

રાજ ઠાકરેની ધમકી બાદ MNS કાર્યકર્તાઓએ મુંબઈમાં ટોલ પ્લાઝામાં લગાવી આગ, જાણો બીજી શું આપી ધમકી 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્ય સરકારને ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે જો નાના વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે તો અમારા કાર્યકરો તેનો વિરોધ કરશે.

મુંબઈ:  રાજ ઠાકરેની પાર્ટીએ મહારાષ્ટ્રમાં ટોલ પોઈન્ટને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્ય સરકારને ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે જો નાના વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે તો અમારા કાર્યકરો તેનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે જો કોઈ અમારા કાર્યકરોને રોકવાનો પ્રયાસ કરશે તો અમે ટોલ બૂથ સળગાવી દઈશું.

રાજ ઠાકરેની આ જાહેરાત પછી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ મુંબઈમાં મુલુંડ ટોલ પોસ્ટ પર એક કેબિનમાં આગ લગાવી દીધી. છેલ્લા 5 દિવસથી, MNS નેતાઓ અને કાર્યકરો મુંબઈના 5 મુખ્ય ટોલમાંથી એક મુલુંડ થાણે ટોલ પર ભૂખ હડતાળ પર બેઠા હતા. 4 દિવસ સુધી કોઈ ફેરફાર ન થયો ત્યારે રાજ ઠાકરે પોતે તેમને મળવા આવ્યા હતા.

રાજ ઠાકરેએ ટોલ બૂથ સળગાવવાની ધમકી આપી હતી

રાજ ઠાકરેએ કાર્યકરોને સમજાવ્યું કે તેઓ પોતે આ અંગે સરકાર સાથે વાત કરશે. બીજા દિવસે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રાજ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર નિશાન સાધ્યું હતું કે ટોલ માત્ર મોટા કોમર્શિયલ વાહનો પાસેથી વસૂલવામાં આવશે. આ દરમિયાન રાજ ઠાકરેએ ટોલ બૂથ સળગાવી દેવાની ધમકી આપી હતી.

MNS વડાએ ટોલ વસૂલાતને મહારાષ્ટ્રમાં સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. તેમણે શાસક ભાજપ અને શિવસેના (શિંદે)ને તેમના 2014ના ચૂંટણી વચનની યાદ અપાવી કે ટોલ-ફ્રી મહારાષ્ટ્ર, જેના પગલે MNS કાર્યકરોએ મુલુંડ ટોલ પોસ્ટ પર એક કેબિનમાં આગ લગાવી.


MNSએ ટોલના ભાવ વધારા સામે વાંધો વ્યક્ત કર્યો હતો

આગની ઘટના પછી, મુંબઈ પોલીસે મુલુંડ ટોલ પોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબરે ટોલના દરમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યાં હવે કારમાંથી 40 રૂપિયાના બદલે 45 રૂપિયા લેવામાં આવશે. ટોલની વસૂલાત અને જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ MSRDC (મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ) દ્વારા 2026 માટે મુંબઈ એન્ટ્રી પોઈન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (MEP) નામની કંપનીને આપવામાં આવ્યો છે.

આ કોન્ટ્રાક્ટ મુંબઈના પાંચેય ટોલ પર લાગુ છે. આ પાંચ ટોલમાંથી રોજની 1.5 કરોડથી 1.8 કરોડ રૂપિયાની કમાણી થાય છે. એબીપી ન્યૂઝે મુંબઈના પાંચ ટોલમાંથી  મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ટોલ, મુલુંડ એલબીએસ માર્ગ ટોલ અને એરોલી ટોલ પ્લાઝાની વિઝીટ કરી. ત્રણેય ટોલ બૂથ પર મુંબઈ પોલીસ તૈનાત જોવા મળી હતી.

MNS નેતાની ધરપકડ પર ટોલ કેબિન સળગાવી

થાણે અને પાલઘર જિલ્લા MNS પ્રમુખ અવિનાશ જાધવ છેલ્લા 5 દિવસથી મુલુંડ ટોલ નાકા પર સતત આંદોલન કરી રહ્યા છે. એક દિવસ પહેલા, અવિનાશ જાધવને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને પછી સાંજે છોડી દીધા હતા. આ દરમિયાન MNS કાર્યકર્તાઓએ કેબિનમાં આગ લગાવી દીધી હતી.

આ મુદ્દે નેતા અવિનાશ જાધવે કહ્યું કે એકનાથ શિંદેએ પોતે 2012માં ટોલ રોકવા માટે અરજી કરી હતી, પરંતુ તેઓ સીએમ બનતાની સાથે જ તેને ભૂલી ગયા. હાલમાં આ સમગ્ર ટોલ હંગામા બાદ MNSએ તેને માત્ર ટ્રેલર ગણાવ્યું છે.

'...આવતીકાલે ઘણા વધુ ટોલ સળગશે'

MNSનું કહેવું છે કે જો રાજ્ય સરકાર અમારી વાત નહીં સાંભળે તો આખા મહારાષ્ટ્રમાં અમારી તાકાત જોવા મળશે. આજે એક ટોલ સળગ્યો છે, આવતીકાલે વધુ ઘણા ટોલનાકા સળગશે. MNSએ કહ્યું કે જ્યારે રસ્તાઓ સારી સ્થિતિમાં નથી આપવામાં આવી રહ્યા તો દર વર્ષે ટોલ દર કેમ વધારવામાં આવે છે. રાજ્ય સરકાર લોકોને લૂંટી રહી છે અને તેથી જ જ્યાં સુધી રાજ્ય સરકાર અમારી માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી અમે આંદોલન કરીશું.

1997માં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને એક કમિટી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ 55 ફ્લાયઓવર બનાવવામાં આવ્યા હતા. આ સમિતિએ 1998માં 30 વર્ષ સુધી ટોલ વસૂલવાનો નિર્ણય લીધો હતો. આ સમયગાળો 2026 માં સમાપ્ત થશે.

MNSને જનતાનું સમર્થન મળી શકે છે

રાજકીય નિષ્ણાત મિલિંદ બલ્લાડે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે આ રાજકીય મુદ્દો એકદમ યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે લોકોને પણ તેનો લાભ મળશે. કેટલાક રાજકીય મુદ્દાઓમાં કોઈ તર્ક નથી, પરંતુ આ મુદ્દામાં તર્ક છે. અત્યારે ચૂંટણીની મોસમ છે અને જો રાજ્ય સરકાર તેમની માંગણી પૂરી કરશે તો નાગરિકો MNS પાર્ટીને સમર્થન આપશે.

બલાડે કહ્યું કે MNSએ અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારબાદ ઘણા ટોલ પણ બંધ કરવામાં આવ્યા હતા. એ વાત પણ સાચી છે કે શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. સરકાર લોન લઈને આ પ્રોજેક્ટ પૂરા કરી રહી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સમગ્ર લોન ટોલ દ્વારા લોકો પાસેથી વસૂલવામાં આવે. આ મુદ્દો આગામી ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીને ફાયદો આપી શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget