શોધખોળ કરો

રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત

India USA Modi Biden call: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કૉલ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે પણ માહિતી આપી.

Modi Biden phone call Russia Ukraine: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (26 ઑગસ્ટ, 2024) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાતચીત કરી. બંને નેતાઓની વાતચીત ફોન કૉલ પર થઈ અને આ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. ભારતીય પીએમએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી. તેમણે પોસ્ટમાં જણાવ્યું, "આજે મારી જો બાઈડેન સાથે ફોન પર વાત થઈ. અમે વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં યુક્રેનની સ્થિતિનો પણ સમાવેશ થાય છે. મેં શાંતિ અને સ્થિરતાની ઝડપી પુનઃસ્થાપના માટે ભારતનું સંપૂર્ણ સમર્થન ફરીથી દોહરાવ્યું છે."

વાતચીત દરમિયાન પીએમ મોદીએ જો બાઈડેનને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે પણ જણાવ્યું. પીએમ મોદી અનુસાર, તેમણે જો બાઈડેન સાથે બાંગ્લાદેશની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી અને ત્યાં સામાન્ય સ્થિતિની જલદી પુનઃસ્થાપના અને લઘુમતીઓ (ખાસ કરીને હિન્દુઓ)ની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

INDIA-US ભાગીદારી અંગે શું વાત થઈ?

નરેન્દ્ર મોદી અને જો બાઈડેન વચ્ચેની વાતચીત દરમિયાન ભારતીય પીએમએ ભારત અમેરિકા ભાગીદારી પ્રત્યે અમેરિકી રાષ્ટ્રપતિની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. બંને નેતાઓએ આ દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે ભારત અમેરિકા ભાગીદારીનો ઉદ્દેશ બંને દેશોના લોકો સાથે સમગ્ર માનવતાને લાભ પહોંચાડવાનો છે. બંને આ વાત પર સહમત થયા કે તેઓ ક્વાડ સહિત બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવે છે. તેઓ આ ઉપરાંત સતત સંપર્કમાં રહેવા પર પણ સહમત થયા.

યુક્રેન પર રશિયાનો તાજો હુમલો, 3નાં મોત

સૌથી રસપ્રદ વાત એ છે કે વિશ્વના બંને રાજકીય દિગ્ગજોની વાતચીત ત્યારે થઈ, જ્યારે થોડી વાર પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે રશિયા તરફથી તેમના દેશ પર 100 મિસાઈલો અને એટલા જ ડ્રોન છોડવામાં આવ્યા છે. યુક્રેનિયન એજન્સીઓ અને મીડિયાનો આરોપ છે કે રશિયન સેનાએ દેશના અનેક વિસ્તારોમાં મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, જેમાં રાજધાની કીવનો પણ સમાવેશ થાય છે. હુમલાઓમાં ત્રણ લોકો મારયા ગયા અને અનેક લોકો ઘાયલ થયા. ત્યાંના રક્ષા મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી અને એક્સ પર પોસ્ટ કર્યું, "રશિયાએ અઠવાડિયાની શરૂઆત યુક્રેનિયન શહેરો પર મોટા પાયે મિસાઈલ હુમલાથી કરી. રશિયન આતંકને ખતમ કરવા માટે વિશ્વએ એક થવું જોઈએ." વાસ્તવમાં, રશિયા યુક્રેન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હાલ થમતું જોવા મળતું નથી.

રશિયા અને યુક્રેનના યુદ્ધ પર ભારતનું આ રહ્યું વલણ

પીએમ નરેન્દ્ર મોદી તાજેતરમાં જ્યારે યુક્રેન ગયા હતા ત્યારે તેમણે ત્યાંના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. તેમણે ત્યાં રશિયા મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આંખમાં આંખ નાખીને તેમણે (પીએમ મોદીએ) શું કહ્યું હતું? પીએમએ કહ્યું હતું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધભૂમિમાં નથી આવતો, સમાધાનનો માર્ગ વાતચીતથી જ નીકળે છે, સંવાદ અને કૂટનીતિથી નીકળે છે અને આપણે સમય ગુમાવ્યા વિના તે દિશામાં આગળ વધવું જોઈએ. જો કે, તેમની આ મુલાકાત 1991માં યુક્રેન સ્વતંત્ર થયા પછી કોઈ ભારતીય પીએમની પ્રથમ યુક્રેન મુલાકાત રહી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ભારત 'તટસ્થ કે ઉદાસીન પ્રેક્ષક' નહોતું રહ્યું. તે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો
Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ, ટીખળખોરે ફેંક્યો પથ્થરArvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો
Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Embed widget