શોધખોળ કરો

મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- સ્વદેશી મતલબ એ નથી કે વિદેશી પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે

‘સ્વતંત્રતા બાદ જેવી આર્થિક નીતિ બનવી જોઈતી હતી તેવી બની નહીં. આઝાદી બાદ એવું માનવામાં જ ન આવ્યું કે આપણે કંઈક કરી શકીએ છીએ. સારું થયું હવે શરૂ થઈ ગયું છે.’

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવે બુધવારે કહ્યું કે, સ્વતંત્રતા બાદ દેશની જરૂરતો અનુસાર આર્થિક નીતિ ન બની. વિશ્વના કોરોનાના અનુભવોથી સ્પષ્ટ છે કે વિકાસનું એક નવું મૂલ્ય આધારિત મોડલ આવવું જોઈએ. ભાગવતે સાથે જ કહ્યું કે, સ્વદેશીનો અર્થ જરૂરી નથી કે તમામ વિદેશી પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે. ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાના બે પુસ્તકોના લોકાર્પણ કરતાં કહ્યું કે, ‘સ્વતંત્રતા બાદ જેવી આર્થિક નીતિ બનવી જોઈતી હતી તેવી બની નહીં. આઝાદી બાદ એવું માનવામાં જ ન આવ્યું કે આપણે કંઈક કરી શકીએ છીએ. સારું થયું હવે શરૂ થઈ ગયું છે.’ ભાગવતે કહ્યું કે, ‘આઝાદી બાદ રશિયા પાસેથી પંચવર્ષીય યોજના લેવામાં આવી, પશ્ચિમ દેશોનું અનુકરણ કરવામાં આવ્યું. પરંતુ આપણા લોકોના જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન આપવામાં ન આવ્યું. તેમણે કહ્યું કે, આપણા દેશમાં ઉપલબ્ધ અનુભવ આધારિત જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂરત છે.’ આપણે એ વાત પર નિર્ભર ન હોવા જોઈએ કે આપણી પાસે વિદેશથી શું આવે છે, જો આપણે આવું કરીએ તો તે આપણી શરતો પર કરવું જોઈએ. તેમણે કહ્યું કે, વિદેશમાં જે કંઈપણ છે, તેનો બહિષ્કાર નથી કરવાનો, પરંતુ આપણી શરતો પર લેવાનું છે. ભાગનવતે કહ્યું કે, જ્ઞાન વિશે વિશ્વમાં સારા વિચાર આવવા જોઈએ. તેમણે કહ્યું કે, આપણા લોકો, આપણું જ્ઞાન, આપણી ક્ષમતા પર વિશ્વાસ રાખનાર સમાજ, વ્યવસ્થા અને શાસન હોવું જોઈએ. ભાગવતે કહ્યું કે, ભૌતિકવાદ, જડવાદ અને તેના તાર્કિક પરિણતિને કારણે વ્યક્તિવાદ અને ઉપભોક્તાવાદ જેવી વાત આવી. એવો વિચાર આવ્યો કે દુનિયાને એક વૈશ્વિક બજાર બનવું  જોઈએ અને તેના આધારે વિકાસની વ્યાખ્યા કરવામાં આવી. તેમણે કહ્યું કે, તેના ફળસ્વરૂપે વિકાસના બે પ્રકારના મોડલ આવ્યા. તેમાં એક કહે છે કે મનુષ્યની સત્તા છે અને બીજું કહે છે કે સમાજની સત્તા છે. ભાગવતે કહ્યું કે, આ બન્નેથી દુનિયાને સુખ નથી મળ્યું. આ અનુભવ દુનિયાને ધીમે ધીમે થયો અને કોરોનાના સમયે આ વાત મુખ્ય રીતે બહાર આવી. હવે વિકાસનું ત્રીજો વિચાર (મોડલ) આવવો જોઈએ જે મૂલ્યો પર આધારિત હોય. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ આત્મનિર્ભરની વાત આ જ દૃષ્ટિએ કહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget