શોધખોળ કરો

MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"

Kailash Vijayvargiya: ભાજપના કદાવર નેતાના નિવેદનથી ભોપાલમાં ખળભળાટ: કોંગ્રેસે કહ્યું- 'ચૂંટણી જીતવા ખોટા વાયદા કર્યા, હવે 'મોદીની ગેરંટી' ક્યાં ગઈ?'

Kailash Vijayvargiya: મધ્યપ્રદેશના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) એ જાહેરમાં એવું સત્ય સ્વીકાર્યું છે જેનાથી સરકાર માટે અસહજ સ્થિતિ સર્જાઈ છે. તેમણે ભોપાલમાં એક બેઠક દરમિયાન કહ્યું કે, "યોજનાઓ મજબૂરીમાં જાહેર કરવામાં આવી હતી, હવે તેનો અમલ કરવો મુશ્કેલ છે." આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસે સરકાર પર પસ્તાળ પાડી છે અને તેને જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે.

સામાન્ય રીતે રાજકીય નેતાઓ પોતાની સરકારની વાહવાહી કરતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ વાસ્તવિકતા સ્વીકારીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. ભોપાલમાં શહેરી વિકાસને લગતી એક પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિજયવર્ગીયએ અધિકારીઓ અને નેતાઓ સમક્ષ સ્વીકાર્યું કે ઘણી જાહેરાતો માત્ર રાજકીય દબાણ અને મજબૂરીને વશ થઈને કરવામાં આવી હતી, પરંતુ હવે તેને ગ્રાઉન્ડ પર ઉતારવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે.

'કેન્દ્રની મદદ વગર શક્ય નથી' 

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરીકરણ જેટલી ઝડપથી વધી રહ્યું છે, તેટલી જ ઝડપથી રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક જેવી પાયાની સુવિધાઓની માંગ વધી રહી છે. રાજ્ય સરકાર પાસે મર્યાદિત સંસાધનો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે માત્ર રાજ્યના બજેટના જોરે તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવા મુશ્કેલ છે, આ માટે કેન્દ્ર સરકારના તોતિંગ ભંડોળ અને સહયોગની તાતી જરૂર છે. તેમના આ નિવેદનને નિષ્ણાતો રાજ્યની તિજોરી પરના આર્થિક ભારણ સાથે જોડીને જોઈ રહ્યા છે.

કોંગ્રેસનો આકરો પ્રહાર: 'વચનો જુમલા સાબિત થયા' 

કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદન બાદ કોંગ્રેસને સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસના પ્રવક્તા અભિનવ બારોલિયા એ સરકારને આડેહાથ લેતા કહ્યું કે, "ભાજપ સત્તા મેળવવા માટે મોટા-મોટા વચનો આપે છે, પણ હવે તે પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. મંત્રીનું આ નિવેદન સાબિત કરે છે કે 'મોદીની ગેરંટી' અને ચૂંટણી ઢંઢેરાના વાયદાઓ માત્ર મતો મેળવવાની યુક્તિ હતી." કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર હવે પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહી છે.

ભાજપનો બચાવ: 'યોજનાઓ ચાલુ જ રહેશે' 

વિપક્ષના આક્ષેપો વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરી છે. ભાજપના પ્રવક્તા અજય યાદવે કોંગ્રેસના આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે, "કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે તે બિનજરૂરી રાજકારણ કરી રહી છે. અમારી સરકારમાં કોઈ પણ જનકલ્યાણકારી યોજના બંધ કરવામાં આવી નથી. કેન્દ્ર અને રાજ્યની 'ડબલ એન્જિન' સરકાર સાથે મળીને કામ કરી રહી છે." તેમણે કોંગ્રેસને તેમના શાસનકાળની યાદ અપાવતા કહ્યું કે તેમણે વિકાસમાં સહયોગ આપવો જોઈએ, ટીકા નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget