શોધખોળ કરો

MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"

Kailash Vijayvargiya: ભાજપના કદાવર નેતાના નિવેદનથી ભોપાલમાં ખળભળાટ: કોંગ્રેસે કહ્યું- 'ચૂંટણી જીતવા ખોટા વાયદા કર્યા, હવે 'મોદીની ગેરંટી' ક્યાં ગઈ?'

Kailash Vijayvargiya: મધ્યપ્રદેશના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) એ જાહેરમાં એવું સત્ય સ્વીકાર્યું છે જેનાથી સરકાર માટે અસહજ સ્થિતિ સર્જાઈ છે. તેમણે ભોપાલમાં એક બેઠક દરમિયાન કહ્યું કે, "યોજનાઓ મજબૂરીમાં જાહેર કરવામાં આવી હતી, હવે તેનો અમલ કરવો મુશ્કેલ છે." આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસે સરકાર પર પસ્તાળ પાડી છે અને તેને જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે.

સામાન્ય રીતે રાજકીય નેતાઓ પોતાની સરકારની વાહવાહી કરતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ વાસ્તવિકતા સ્વીકારીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. ભોપાલમાં શહેરી વિકાસને લગતી એક પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિજયવર્ગીયએ અધિકારીઓ અને નેતાઓ સમક્ષ સ્વીકાર્યું કે ઘણી જાહેરાતો માત્ર રાજકીય દબાણ અને મજબૂરીને વશ થઈને કરવામાં આવી હતી, પરંતુ હવે તેને ગ્રાઉન્ડ પર ઉતારવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે.

'કેન્દ્રની મદદ વગર શક્ય નથી' 

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરીકરણ જેટલી ઝડપથી વધી રહ્યું છે, તેટલી જ ઝડપથી રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક જેવી પાયાની સુવિધાઓની માંગ વધી રહી છે. રાજ્ય સરકાર પાસે મર્યાદિત સંસાધનો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે માત્ર રાજ્યના બજેટના જોરે તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવા મુશ્કેલ છે, આ માટે કેન્દ્ર સરકારના તોતિંગ ભંડોળ અને સહયોગની તાતી જરૂર છે. તેમના આ નિવેદનને નિષ્ણાતો રાજ્યની તિજોરી પરના આર્થિક ભારણ સાથે જોડીને જોઈ રહ્યા છે.

કોંગ્રેસનો આકરો પ્રહાર: 'વચનો જુમલા સાબિત થયા' 

કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદન બાદ કોંગ્રેસને સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસના પ્રવક્તા અભિનવ બારોલિયા એ સરકારને આડેહાથ લેતા કહ્યું કે, "ભાજપ સત્તા મેળવવા માટે મોટા-મોટા વચનો આપે છે, પણ હવે તે પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. મંત્રીનું આ નિવેદન સાબિત કરે છે કે 'મોદીની ગેરંટી' અને ચૂંટણી ઢંઢેરાના વાયદાઓ માત્ર મતો મેળવવાની યુક્તિ હતી." કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર હવે પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહી છે.

ભાજપનો બચાવ: 'યોજનાઓ ચાલુ જ રહેશે' 

વિપક્ષના આક્ષેપો વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરી છે. ભાજપના પ્રવક્તા અજય યાદવે કોંગ્રેસના આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે, "કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે તે બિનજરૂરી રાજકારણ કરી રહી છે. અમારી સરકારમાં કોઈ પણ જનકલ્યાણકારી યોજના બંધ કરવામાં આવી નથી. કેન્દ્ર અને રાજ્યની 'ડબલ એન્જિન' સરકાર સાથે મળીને કામ કરી રહી છે." તેમણે કોંગ્રેસને તેમના શાસનકાળની યાદ અપાવતા કહ્યું કે તેમણે વિકાસમાં સહયોગ આપવો જોઈએ, ટીકા નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget