શોધખોળ કરો
સિદ્ધુની ગૂગલી, 3 નેતાઓ સાથે બનાવ્યો નવો મોર્ચો, પંજાબની 41 સીટ પર પડી શકે છે અસર

નવી દિલ્હીઃ બીજેપી સાથે છેડો ફાડ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ હવે પંજાબમાં નવો જ મોર્ચો બનાવ્યો છે. આવાજ-એ-પંજાબના નામથી નવા મોર્ચાની શરૂઆત કરવામાં આવી છે. પંજાબમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. સિદ્ધુના આ નિર્ણયને ખૂબ અગત્યનો ગણવામાં આવી રહ્યો છે. સિદ્ધુની સાથે આ મોર્ચામાં પૂર્વ હોકી કેપ્ટન અને ઓલિમ્પિયન પરગટ સિંહ અને બેન્સ બ્રધર્સ- સિમરજીત સિંહ અને બલવિંદર સિંહ પણ સમેલ છે. જો આ ફ્રન્ટ ચૂંટણી લડવાનો નિર્ણય કરેતો રાજ્યની 41 સીટ તેની અસર થઈ શકે છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આવતા સપ્તાહે આવાજ-એ-પંજાબનું સત્તાવાર લોન્ચિંગ થઈ શકે છે. આ અંગે સિદ્ધુની પત્ની નવજોત કૌરે જણાવ્યું કે, પરગટ સિંહ અને બેન્સ બ્રધર્સની સાથે અને નવો મોર્ચો બનાવ્યો છે. આ મોર્ચો પંજાબની વિરૂદ્ધ કામ કરનારાના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવશે. જાણીતા હોકી પ્લેયર પરગટ સિંહ શુક્રવારે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પણ આ મોર્ચાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. તેમાં સિદ્ધુને પરગટ સિંહ, સિમરજીત સિં બેન્સ અને બલવિંદર સિંહની સાથે દેખાડવામાં આવ્યા છે.
સિદ્ધુએ જુલાઈમાં રાજ્યસભાના પદેથી રાજીનામું આપ્યું છે. હાલમાંપંજાબમાં બીજેપી-અકાળી દળની ગઠબંધન સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. કહેવાય છે સિદ્ધૂની આ ગૂગલીથી રાજ્યમાં ચોથા મોર્ચા માટે બેસ તૈયાર થઈ ગયો છે.
વધુ વાંચો























