NEET PG 2022: શું NEET 2022 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે ? જાણો શું છે સત્ય
આ પત્ર પર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ, ભારત સરકાર લખેલ છે.
![NEET PG 2022: શું NEET 2022 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે ? જાણો શું છે સત્ય NEET PG 2022: Was NEET 2022 exam postponed, fake letter went viral on social media, pib fact check NEET PG 2022: શું NEET 2022 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે ? જાણો શું છે સત્ય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/21/69eb474b0eeac30f2c831de3ff0be617_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG) 2022 પરીક્ષાને લઈને એક નોટિસ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષા 6 થી 8 અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે. આ પત્ર પર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ, ભારત સરકાર લખેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NEET PG 2022 ની પરીક્ષાની તારીખ NEET PG 2021 કાઉન્સેલિંગ સાથેના સંઘર્ષને કારણે NEET PG 2022 મુલતવી રાખવા માટે ડૉક્ટરો તરફથી મળેલી વિનંતીઓને કારણે મોકૂફ રાખવામાં આવી છે.
PIB ફેક્ટ ચેક ટ્વિટર હેન્ડલ, જેણે સરકારી નીતિઓ અને યોજનાઓ પરની ખોટી માહિતીનો જવાબ આપ્યો હતો. ટ્વીટ કરીને કહ્યું કે, એક નકલી પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે 21/05/2022 ના રોજ નિર્ધારિત NEET-PG પરીક્ષા 6-8 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસ દ્વારા આવો કોઈ પત્ર જારી કરવામાં આવ્યો નથી.
A #Fake letter claiming that the NEET-PG examination due to take place on 21/05/2022 has been postponed by 6-8 weeks, is in circulation on social media.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) April 19, 2022
▶️No such letter has been issued by the Directorate General of Health Services. pic.twitter.com/b3g7JLoQWh
જણાવી દઈએ કે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં NEET PG 2022 ના વિદ્યાર્થીઓ NEET PG 2022 પરીક્ષા અને NEET PG 2021 કાઉન્સેલિંગ વચ્ચેના અપૂરતા સમય તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે NEET PG 2022 ની પરીક્ષામાં બેસવા માટે લગભગ 5,000 ઇન્ટર્ન ડોકટરોની અયોગ્યતાના મુદ્દા વિશે પણ વાત કરી. વાસ્તવમાં, આ એવા ડોકટરો છે જેમણે કોરોના સંકટ દરમિયાન ફરજ બજાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)