શોધખોળ કરો

BCG રસી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકે છે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો, જાણો વિગત

શરૂઆતના 30 દિવસમાં બીસીજીની રસી ઈન્ફેકશન રોકવામાં અસરકારક સાબિત થઈ.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માટે વિશ્વના વૈજ્ઞાનિકો રસી તૈયાર કરવામાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ભારતમાં આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. આ દરમિયાન  બીસીજીની રસી કોરોનાની સારવારમાં અરસરકારક સાબિત થતી હોવાનું એક રિસર્ચમાં સામે આવ્યું છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ,અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સે કહ્યું તેમના દેશમાં કોરોના વકર્યો ત્યારે શરૂઆતના 30 દિવસમાં બીસીજીની રસી ઈન્ફેકશન રોકવામાં અસરકારક સાબિત થઈ હતી. જો બીસીજી રસી ફરજિયાત કરવામાં આવી હોત તો માર્ચ 29 સુધીમાં અમેરિકામાં 468 લોકોના મોત થઈ શકત તેવો રિસર્ચરે અંદાજ લગાવ્યો હતો. જ્યારે આ તારીખ સુધીમાં 2467 મોત નોંધાઈ ચુક્યા હતા. રિસર્ચમાં એવી વાત પણ સામે આવી કે બીસીજીની રસીનો ઉપયોગ જે લોકો કરે છે તેમાં કોરોના સામે લડવાની ઈમ્યુનિટી વધારે હોય છે. જેના આધારે રિસર્ચરનું માનવું છે કે બીમારીના કારણે જે લોકોએ આ વેક્સીનનો ઉપયોગ કર્યો હતો તે કોરોનાને હરાવવામાં વધારે સફળ થયા હતા. તેથી સંશોધકોનું માનવું છે કે આ વેક્સીન જે લોકોને આપવામાં આવે છે તેમનામાં કોરોના લક્ષણ ઘટવાની આશા છે પરંતુ તેની અસર પણ ઓછી થાય છે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના વધારે લક્ષણ હોય તો બીસીજીની રસીથી તે ઘટાડી શકાય છે અને દર્દીની હાલત સ્થિર થઈ શકે છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. અનંત ભાનના કહેવા મુજબ, BCG વેક્સીન કોવિડ-19 સામે વધારે સાયન્ટિફિક લાગે છે. ભારત અને બ્રાઝિલ બીસીજી વેક્સીન પ્રોગ્રામ ચલાવે છે, તેથી ત્યાં ઉપપોગ વધારે અસરકારક સાબિત થાય તેમ છે. ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયનના ડો. શશાંક જોશીની કહેવા મુજબ, બીસીજી કોવિડ-19 સામે ઈમ્યુનિટિ વધારવાનું કામ કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget