શોધખોળ કરો

NIAએ બેંગલુરુમાં સંદિગ્ધ આતંકીની કરી ધરપકડ, બે વર્ષથી હતો અલકાયદાના સંપર્કમાં

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે (11 ફેબ્રુઆરી) બેંગલુરુમાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે.

NIA Arrested Terrorist: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે (11 ફેબ્રુઆરી) બેંગલુરુમાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. શંકાસ્પદની ઓળખ આરીફ તરીકે કરવામાં આવી છેજે બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તે બે વર્ષથી આતંકવાદી સંગઠન અલ કાયદાના સંપર્કમાં હતો. NIAએ વધુ તપાસ માટે તેનું લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તે બે વર્ષથી વધુ સમયથી ઈન્ટરનેટ પર આતંકવાદીઓના સંપર્કમાં હતો. તે ઈરાન અને અફઘાનિસ્તાન જઈને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)માં જોડાવા માંગતો હતો. જો કેહજુ સુધી કોઈ ઘટનામાં તેની સંડોવણીના પુરાવા મળ્યા નથી.

કોલકાતામાંથી ISISના આતંકીઓ ઝડપાયા હતા

અગાઉકોલકાતા ટાસ્ક ફોર્સે ગયા જાન્યુઆરી મહિનામાં ત્રણ શંકાસ્પદ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) હવે આ મામલાની તપાસ કરી રહી છે. NIAએ મંગળવારે કોલકાતાની વિશેષ અદાલત સમક્ષ FIR રજૂ કરી હતી.  અરજીની સુનાવણી કર્યા પછી NIAના સ્પેશ્યલ જજે  કોલકાતા પોલીસ STFને કેસ ડાયરી અને સંબંધિત તમામ દસ્તાવેજો NIAને વધુ તપાસ માટે સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.

લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો

કોર્ટના આ આદેશ બાદ હવેથી NIAએ તપાસ પોતાના હાથમાં લીધી છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપી લાંબા સમયથી NIAના મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતા. તેમાંથી બે મોહમ્મદ સદ્દામ અને સૈયદ અહેમદ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના રહેવાસી છે. અન્ય એક શંકાસ્પદ આતંકવાદી અબ્દુલ રકીબ કુરેશીની એસટીએફ દ્વારા મધ્યપ્રદેશના ખંડવાથી ધરપકડ કરવામાં આવી હતી.

અબ્દુલ રકીબ કુરેશીની અગાઉ ત્રણ વખત ધરપકડ કરવામાં આવી હતી અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને UAPA હેઠળ બે વખત દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તે લાંબા સમય સુધી જેલમાં હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરીથી ISIS મોડ્યુલનો સંપર્ક કર્યો હતો. ધરપકડ કરાયેલ આતંકવાદી સદ્દામ છેલ્લા બે વર્ષથી ISISના સંપર્કમાં હતો.

હવે આ વાયરસને લઇને WHO એ આપી ચેતવણી

કોવિડ-19 એ 2020 થી સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. કોરોનાના કારણે વિશ્વના ઘણા દેશોની હાલત એટલી બગડી ગઈ છે કે તેઓ હજુ સુધી સ્વસ્થ થઈ શક્યા નથી. આ દરમિયાન અન્ય એક વાયરસ મહામારી બનવાનો ખતરો વધી રહ્યો છે. પક્ષીઓ સિવાય સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂનો ચેપ ફેલાવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ચિંતા વધી ગઈ છે. મિંક, ઓટર, શિયાળ, સી લાયન જેવા સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂના ફેલાવા પર ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે મનુષ્યમાં પણ ચેપનો ખતરો છે, કારણ કે મનુષ્ય પણ સસ્તન જીવોનો એક પ્રકાર છે.

WHOના ડાયરેક્ટર-જનરલ Tedros Adhanom Ghebreyesusએ બુધવારે (8 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે મિંક, ઓટર્સ, શિયાળ અને સી લાયનમાં નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસ પર તાજેતરના અઠવાડિયામાં નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે હાલમાં WHO મનુષ્યો માટેના જોખમને ઓછું આંકે છે, પરંતુ અમે એવું માની શકતા નથી કે આ સ્થિતિ રહેશે અને તેથી આપણે યથાસ્થિતિમાં કોઈપણ ફેરફાર માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે કહ્યું કે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવો દુર્લભ છે, જોકે તેના જોખમને નકારી શકાય તેમ નથી. તેને રોકવાનો માર્ગ પણ જણાવવામાં આવ્યો હતો. WHOના કહેવા અનુસાર, કોઈપણ બીમાર કે મૃત જંગલી પ્રાણી કે પક્ષીને સ્પર્શ કરશો નહીં કે તેની નજીક જશો નહીં. જો તમને આવા પ્રાણી મળે તો તેના વિશે સ્થાનિક અધિકારીઓને જાણ કરો. આ સાથે બીમાર અથવા મૃત મરઘીઓ વિશે ખૂબ કાળજી લેવાની જરૂર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget