શોધખોળ કરો

No Confidence Motion: અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં આજથી ચર્ચા, રાહુલ ગાંધી કરી શકે છે શરૂઆત

No Confidence Motion: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ ફરી મળ્યા બાદ તેઓ વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરી શકે છે

No Confidence Motion: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર વિરુદ્ધ લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજથી ચર્ચા શરૂ થશે. ગુરુવારે ત્રણ દિવસ સુધી ચાલનારી ચર્ચાનો જવાબ પીએમ મોદી આપી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ ફરી મળ્યા બાદ તેઓ વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરી શકે છે. દરમિયાન, બુધવારે ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ મણિપુર મુદ્દે પ્રશ્નોના જવાબ આપી શકે છે.

નોંધનીય છે કે વર્તમાન કાર્યકાળમાં મોદી સરકાર વિરુદ્ધ આ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે. અગાઉ વર્ષ 2018માં મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં એક વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આજે બપોરે 12 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે, જે સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. બુધવારે પણ બપોરે 12 થી 7 વાગ્યા સુધી ચર્ચા થશે. પીએમ મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે ચર્ચાનો જવાબ આપે તેવી શક્યતા છે. ચર્ચા શરૂ કરવા માટે કોંગ્રેસના ગૌરવ ગોગોઈની નોટિસ સ્વીકારવામાં આવી છે. આ કારણે તે પ્રસ્તાવ રજૂ કરશે. પરંતુ જો તેઓ ઇચ્છે તો તેમના સ્થાને રાહુલ ગાંધીને ચર્ચા શરૂ કરવાની તક આપી શકે છે.

નોંધનીય છે કે 26 જુલાઈએ લોકસભાએ ભાજપની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ વિપક્ષી દળો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ અઠવાડિયે અવિશ્વાસની દરખાસ્ત સહિતના મહત્વના બિલોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ભાજપે તેના લોકસભા સાંસદોને વ્હિપ જાહેર કરીને 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેના (શિંદે) જૂથ તરફથી શ્રીકાંત શિંદે અને રાહુલ શેવાલે વક્તા હશે. ચિરાગ પાસવાન (LJP) અને અનુપ્રિયા પટેલ (અપના દળ) અન્ય મુખ્ય વક્તા બની શકે છે.

મળતી માહિતી મુજબ, બીજેપી તરફથી નિશિકાંત દુબે અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ ચર્ચા શરૂ કરશે. ભાજપ તરફથી લગભગ 20 સ્પીકર્સ હશે.  જેમાં સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજવર્ધન સિંહ રાઠોડના નામ સામેલ છે.

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવો મુશ્કેલ

વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ આ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવો અશક્ય છે, કારણ કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પાસે પૂર્ણ બહુમતી છે. આંકડાઓ પર નજર કરીએ તો સંસદના નીચલા ગૃહ લોકસભામાં મોદી સરકાર બહુમતીમાં છે. તેમની પાસે 301 સાંસદ છે, જ્યારે NDA પાસે 333 સાંસદ છે. અહીં સમગ્ર વિપક્ષ પાસે કુલ 142 સાંસદો છે. આવી સ્થિતિમાં વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ જશે તે સ્પષ્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget