શોધખોળ કરો
Advertisement
NRCની સ્થિતિથી આસામના તમામ વર્ગ નારાજ, વાસ્તવિક નાગરિકોના અધિકારોની સુરક્ષા થાયઃ કોગ્રેસ
બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ.
નવી દિલ્હીઃ આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનની અંતિમ યાદી આવ્યા બાદ કોગ્રેસે કહ્યુ હતું કે, એનઆરસીની હાલની સ્થિતિથી રાજ્યનો તમામ વર્ગ નારાજ છે અને દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા સુનિશ્વિત કરવી જોઇએ. એનઆરસીની અંતિમ યાદીમાં આવ્યા બાદ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર આ મુદ્દાને લઇને બેઠક થઇ હતી જેમાં પશ્વિમ બંગાળ અને પૂર્વોત્તર સાથે સંબંધ રાખતા વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ.
લોકસભામાં પાર્ટીના નેતા ચૌધરીએ કહ્યુ કે, દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ અને તેમને એનઆરસીમાં સામેલ કરવા જોઇએ. આસામથી કોગ્રેસના લોકસભાના સભ્ય ગૌરવ ગોગોઇએ કહ્યું કે, આસામના તમામ વર્ગ એનઆરસીની સ્થિતિથી નારાજ છે. બીજેપીના મંત્રી ફરિયાદ કરી રહ્યા છે. બેદરકારીને કારણે અને વાસ્તવિક નાગરિકોએ પણ કોર્ટનો સામનો કરવો પડશે. કોગ્રેસ તમામની મદદ કરશે. રાજનીતિથી ઉપર દેશ અમારુ લક્ષ્ય છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ સંગનાએ કહ્યું કે, તમે બધા જાણો છો કે એનઆરસી આસામ કરાર હેઠળ કરવામાં આવી રહેલું કામ છે. અમારી પાર્ટીનું વલણ એકદમ સ્પષ્ટ છે કે વાસ્તવિક ભારતીય નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ. નોંધનીય છે કે આસામમા એનઆરસીની અંતિમ યાદી ઓનલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં લગભગ 19.07 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. એનઆરસીની અંતિમ યાદીમાં 3.11 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion