શોધખોળ કરો

Nuh violence: '700 લોકોની ભીડ આવી, કાવતરું રચીને નૂહમાં કરાયો પથ્થરમારો અને ફાયરિંગ', FIRમાં નોંધાયું ઇન્સ્પેક્ટરનું નિવેદન

31 જુલાઈએ હરિયાણાના નૂહમાં હિંસા ફાટી નીકળી હતી. બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી

31 જુલાઈએ હરિયાણાના નૂહમાં હિંસા ફાટી નીકળી હતી. બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. નૂહ હિંસાના મામલામાં એફઆઈઆરમાં ઈન્સ્પેક્ટર પંકજ કુમારનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે તાવડુમાં 600 થી 700 તોફાનીઓ જોયા છે. ભીડમાં લોકો અલ્લાહ-હૂ-અકબરના નારા લગાવી રહ્યા હતા. થોડીવાર પછી ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેઓ સતત પથ્થરમારો કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક લોકોએ ભીડમાંથી ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમણે અને ઈન્સ્પેક્ટર અનિલ કુમારે માઈક્રોફોન દ્વારા ભીડને કાયદો પોતાના હાથમાં ન લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભીડ પથ્થરમારો કરતી રહી અને ફાયરિંગ કરતી રહી હતી.  ત્યારબાદ એક ગોળી ઈન્સ્પેક્ટર અનિલ કુમારને વાગી હતી. તેઓ અને અન્ય ASI જગવીર પણ ઘાયલ થયા હતા.

ઈન્સ્પેક્ટર પંકજ કુમારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 600-700 લોકોનું ગુસ્સે ભરેલું ટોળું એટલું બેકાબૂ થઈ ગયું હતું કે તેઓએ પોલીસકર્મીઓને મારવાના ઈરાદે પથ્થરમારો અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનાને સુચિત કાવતરા હેઠળ અંજામ આપવામાં આવ્યો છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને AK-47 અને સર્વિસ પિસ્તોલથી હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. પરંતુ બદમાશોનો ઈરાદો 'પૂર્વ આયોજિત કાવતરા' હેઠળ પોલીસ પર હુમલો કરવાનો હતો. હું આમાં કેટલાક લોકોને ઓળખી શકું છું. તેમણે માંગ કરી છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

'પોલીસ દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકતી નથી'

બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે લોકોને રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે એ પણ સાચું છે કે આપણે દરેકની સુરક્ષા કરી શકતા નથી. કોઈ પોલીસ કે સેના પણ આની ખાતરી આપી શકે નહીં. સીએમ ખટ્ટરે કહ્યું કે રાજ્યની વસ્તી 2.7 કરોડ છે. અમારી પાસે 60 હજાર જવાન છે, આવી સ્થિતિમાં પોલીસ દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકતી નથી. સોમવાર અને મંગળવારે હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં થયેલી હિંસા અંગે વાત કરતા ખટ્ટરે કહ્યું હતું કે જે લોકોએ ટોળાની હિંસામાં પોતાની સંપત્તિ ગુમાવી છે તેમને વળતર મળશે.

મોનુ માનેસર પર CM ખટ્ટરે શું કહ્યું?

 મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે રાજસ્થાન પોલીસ બજરંગ દળના સભ્ય મોનુ માનેસર સામે કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. માનેસર પર ફેબ્રુઆરીમાં બે મુસ્લિમ યુવકોની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ મોનુ માનેસર પર નૂહ હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ખટ્ટરે જણાવ્યું હતું કે મોનુ માનેસર સામે છેલ્લો કેસ રાજસ્થાન પોલીસે નોંધ્યો હતો. નૂહ અને ગુડગાંવમાં સાંપ્રદાયિક હિંસા પર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજસ્થાન પોલીસ મોનુ માનેસરને શોધી રહી છે. તે અત્યારે ક્યાં છે તે અંગે અમારી પાસે કોઈ ઈનપુટ નથી. રાજસ્થાન પોલીસ તેમની સામે કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. ખટ્ટરે એમ પણ કહ્યું કે તેમની સરકાર મોનુ માનેસરને પકડવા માટે તેમને (રાજસ્થાન પોલીસ) તમામ મદદ કરશે.

અત્યાર સુધીમાં 40 FIR નોંધવામાં આવી છે

હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે હરિયાણા સરકારે મેવાતની ઘટના પર કાર્યવાહી કરી છે. અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવ્યા છે અને RRBની એક સ્થાયી બટાલિયન પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે. સ્થિતિ નિયંત્રણમાં છે. 40 થી વધુ FIR નોંધવામાં આવી છે, 100 થી વધુ લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને 90 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકાર તોડફોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

નૂહમાં હિંસા ક્યારે ફાટી નીકળી?

31 જુલાઈના રોજ નૂહના મેવાતમાં ધાર્મિક યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જેમાં 2 હોમગાર્ડ અને 4 સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
Champions Trophy 2025: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ, જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ જોઇ લાઇવ મેચ
Champions Trophy 2025: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ, જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ જોઇ લાઇવ મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
Champions Trophy 2025: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ, જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ જોઇ લાઇવ મેચ
Champions Trophy 2025: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ, જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ જોઇ લાઇવ મેચ
EPFO થી લઇને ITR સુધી... ફટાફટ કરી લો આ ત્રણ કામ, જલદી સમાપ્ત થશે ડેડલાઇન
EPFO થી લઇને ITR સુધી... ફટાફટ કરી લો આ ત્રણ કામ, જલદી સમાપ્ત થશે ડેડલાઇન
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
India vs Australia Semi-Final: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પર શું બોલ્યા પાકિસ્તાની, વીડિયો થયો વાયરલ
India vs Australia Semi-Final: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પર શું બોલ્યા પાકિસ્તાની, વીડિયો થયો વાયરલ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન
Embed widget