શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરઃ બારામૂલા હુમલામાં સામેલ આતંકીને સુરક્ષાદળોએ માર્યો ઠાર, સવારે ત્રણ જવાન થયા હતા શહીદ
જમ્મુ-કાશ્મીરના IG વિજય કુમારે આની પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યુ કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીનો મૃતદેહને લઇ લેવાયો છે, અને તેની પાસેથી એકે 47 પણ મળી છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આતંકી હુમલામાં સામેલ એક આંતકીને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે. જમ્મુ-કાશ્મીરના IG વિજય કુમારે આની પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યુ કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીનો મૃતદેહને લઇ લેવાયો છે, અને તેની પાસેથી એકે 47 પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે આતંકીઓએ ઉત્તરીય કાશ્મીરના બારામૂલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં એક નાકા પર સુરક્ષા દળોની એક ટુકડી પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક સીનિયર પોલીસ ઓફિસર (SPO) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બે જવાનો સહિત કુલ ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થઇ ગયા છે. હાલ આતંકીઓને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે, અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 ઓગસ્ટે આતંકીઓએ નૌગામ વિસ્તારમાં પોલીસ પાર્ટી ર હુમલો કરી દીધો હતો, જેમાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. વળી 12 ઓગસ્ટે પુલવામામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખાણ હિઝબૂલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર આઝાદ લલહારી તરીકે થઇ હતી. આ અથડામણ દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સ્પોર્ટ્સ
દેશ
Advertisement