શોધખોળ કરો

ભારતમાં માત્ર 1.36 ટકા લોકોએ જ કોરોના રસીના બન્ને ડોઝ લીધા, આ ગતિએ રસી મૂકાશે તો તો દેશમાં આઠ વર્ષ.....

ભારતમાં અત્યાર સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 13.5 કરોડ લોકોએ રસીના ડોઝ લીધા છે.

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં રોકેટ ગતિએ કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના સામે હાલમાં એક્સિર ઇલાજ ગણાતી રસી લેવામાં લોકોના ઉદાસિનતા જોવા મળી રહી છે. તેમાં પણ પ્રથમ ડોઝ જે લોકો મુકાવે છે તેમાંથી બીજા કે ત્રીજા ભાગના લોકો જ બીજો ડોઝ મુકાવે છે જેના કારણે સરવાળે રસીકરણ નિષ્ફળ જાય છે.

ભારતમાં ગુરુવાર સાંજ સુધીમાં એક જ દિવસમાં 30 લાખ લોકોએ કોરોના રસી લીધી હતી. આમ ભારતમાં અત્યાર સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 13.5 કરોડ લોકોએ રસીના ડોઝ લીધા છે. જેમાંથી ૯૨,૪૧,૩૮૪ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે ૫૯,૦૩,૩૬૮ હેલ્થ વર્કર્સે બીજો ડોઝ લીધો છે. એટલે કે 32 લાખ હેલ્થ વર્કરો બીજો ડોઝ લેવા આવ્યા જ નથી.

જ્યારે ૧,૧૭,૨૭,૭૦૮ ફ્રન્ટ લાઇન વર્કર્સે પ્રથમ ડોઝ લીધો પણ બીજા ડોઝનો ૬૦,૭૩,૬૨૨ જ  લીધો. આમ ૫૦ લાખથી વધારે ફ્રન્ટ લાઈન વર્કર્સે તો બીજો ડોઝ લીધો જ નહીં કે હવે પછી લેશે.

45થી 60 વર્ષના ગ્રુપની વાત કરીએ તો  ૪,૧૫,૧૦,૪૨૬ લોકોએ પ્રથમ ડોઝ લીધો જ્યારે ૧૮,૯૧,૧૬૦ નાગરિકોએ જ બન્ને ડોઝ લીધા છે. જ્યારે 60 વર્ષથી વધુ વયના ૪,૮૫,૦૧,૯૦૬ લોકોમાંથી માત્ર ૬૪,૯૭,૧૫૫ લોકોએ બીજો ડોઝ લીધો છે. દેષમાં પ્રથમ ડોઝનું કુલ રસીકરણ જોઈએ તો ૧૦,૭૩,૭૧,૭૭ અને બીજો ડોઝ 1,64,00,796 એટલે કે 9માં કે 10માં ભાગનું છે. આમ ભારતમાં કુલ વસ્તીના 8.86 ટકાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે પણ બન્ને ડોઝ લેનાર લોકોની સંખ્યા માત્ર 1.36 ટકા જેટલી જ થવા જાય છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ૯૩,૨૯,૪૯૧ લોકોએ પ્રથમ ડોઝ અને ૧૭,૭૦,૦૯૫એ બીજો ડોઝ લીધો છે. ગુજરાતમાં કુલ રસીકરણની સંખ્યા ૧,૧૦,૯૯,૫૮૬ છે. આમ ગુજરાતની 6.5 કરોડની વસ્તીમાંથી માત્ર 17.70 લાખ લોકોએ જ બીજો ડોઝ લીધો છે. ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનાર કરતાં બીઝો ડોઝ લેનાર લોકોની સંખ્યા પાંચમાં ભાગની છે.

કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા મહારાષ્ટ્રમાં તો આ આંકડો વધારે ચિંતાજનક છે. મહારાષ્ટ્ર 0.8 ટકા વેક્સિનેશન ધરાવે છે. ગુજરાતમાં 1.61 ટકાએ બન્ને ડોઝ તો દિલ્હીમાં 2.73 ટકાએ બન્ને ડોઝ લીધા છે. બીજી બાજુ રસીકરણ કેન્દ્ર કરતાં કોરોના ટેસ્ટિંગ માટે ભીડ વધારે જોવા મળી રહી છે.

જો આ ગતિએ જ કોરોના રસી મુકાશે તો બન્ને ડોઝ પુરા કરતાં દેશને આઠ વર્ષથી પણ વધારેનો સમય લાગી શકે છે. તબીબો કહે છે કે ૧૧.૬ કરોડ કોવિશીલ્ડ રસી મુકાવનારાઓ પૈકી પ્રથમ ડોઝ બાદ માત્ર ૦.૦૨ ટકા અને બીજો ડોઝ મુકાવ્યા બાદ ૦.૦૩ ટકા નાગરિકોના રીપોર્ટ જ પોઝિટિવ આવ્યા છે. આ પોઝિટિવ દર્દીઓને પણ કોરોનાની રસી રક્ષણ પુરુ પાડે છે તે પુરવાર થયું છે. અને તેઓમાંથી મહત્તમ હોમ કવોરન્ટાઇન થઇને જ બીમારીમાંથી મુકત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી
Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
Embed widget