શોધખોળ કરો

ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા

Kolkata Rape Murder Case: આરજી કર મેડિકલ કૉલેજમાં બળાત્કાર હત્યા કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે અને મુખ્ય આરોપી સંજય રોય સાથે સાથે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની વાત સામે આવી છે.

Kolkata Doctor Rape Murder Case: કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં એબીપી ન્યૂઝે ઓપરેશન આરજી કર કર્યું છે, જેમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. સૌથી મોટી વાત એ સામે આવી છે કે આ કાંડમાં બહારનો વકીલ અને સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. આ વાતનો ખુલાસો પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કર્યો. સાથે જ હૉસ્પિટલ પરિસરમાં ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા નહોતા. આ ઉપરાંત, પ્રિન્સિપાલ સંદીપ ઘોષે ગેરકાયદેસર કામ કર્યું.

ટ્રેની ડૉક્ટરનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર ડૉ. રીના દાસે કબૂલ કર્યું છે કે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર ખૂબ માનસિક દબાણ બનાવી રાખતા હતા. આ ઉપરાંત, ડૉ. અખ્તર અલીએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે ડૉક્ટર સંદીપ ઘોષ પાસે પૈસા અને સત્તા છે. તેમના પર મુખ્યમંત્રીનો પણ હાથ છે.

ઓપરેશન આરજી કરની મહત્વની વાતો

  1. સંદીપ ઘોષની ભૂમિકા અંગે અખ્તર અલીએ દાવો કર્યો કે મુખ્યમંત્રી સંદીપ ઘોષને પ્રમોટ કરી રહ્યા છે. તેઓ મૃતદેહોને વેચતા હતા. ડૉક્ટર અખ્તર અલી પહેલા આરજી કર મેડિકલ કૉલેજમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હતા પરંતુ આ દિવસોમાં મુર્શિદાબાદમાં તૈનાત છે.
  2. તેમણે કહ્યું કે સંદીપ ઘોષ એક ભ્રષ્ટ વ્યક્તિ છે અને તેમણે તેમના આખા કરિયરમાં તેના જેવો માણસ જોયો નથી. તેઓ મૃતદેહો વેચતા હતા એ ખબર છે પણ કોને વેચતા હતા એ ખબર નથી. તેઓ માફિયાની જેમ ભ્રષ્ટ છે. તેમ છતાં તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા જ્યારે રજા પર મોકલી દેવામાં આવ્યા.
  3. એક અન્ય ડૉક્ટર સોમનાથ દાસ જે પહેલા આરજી કર મેડિકલ કૉલેજમાં ફોરેન્સિક એક્સપર્ટ હતા હવે તેમની બદલી કરી દેવામાં આવી છે અને બાંકુરા મેડિકલ કૉલેજમાં ફોરેન્સિક હેડ છે. તેમણે ખુલાસો કર્યો કે પોસ્ટમોર્ટમ માટે આવેલા મૃતદેહનો ખોટો ઉપયોગ કરવામાં આવતો હતો. માત્ર પસંદગીની કંપનીઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હતા.
  4. તેમણે એ પણ કહ્યું કે સંદીપ ઘોષ વિરુદ્ધ ફરિયાદ કર્યા પછી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી પરંતુ જેણે ફરિયાદ કરી તેની જ બદલી કરી દેવામાં આવી.
  5. સોમનાથ દાસે કહ્યું કે સંદીપ ઘોષ મૃતદેહોને લઈને વર્કશોપ કરતા હતા જ્યારે આની મંજૂરી નહોતી. આ વાતને ડૉક્ટર ઘોષે પણ સ્વીકારી કે સંદીપ ઘોષને રાજકીય સંરક્ષણ મળેલું હતું. તેમણે દાવો કર્યો કે મેડિકલ ભ્રષ્ટાચારનું નેટવર્ક એટલું મોટું છે કે કોઈ એક્શન જ નથી લેતું.
  6. જુનિયર ડૉક્ટરના બળાત્કાર હત્યા મામલા અંગે ડૉ. રીના દાસે કહ્યું કે ક્રાઇમ સીન પર મેડિકલ સ્ટાફ અને એક વકીલને બોલાવવામાં આવ્યા હતા, ક્રાઇમ સીન પર આવેલા લોકો ડૉક્ટર સંદીપ ઘોષના માણસો હતા.
  7. રીના દાસ જુનિયર ડૉક્ટરનું પોસ્ટમોર્ટમ કરનારી ટીમનો ભાગ હતા. તેમણે કહ્યું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે તેની સાથે કેટલાક નેતાઓ અને બહારના લોકો પણ આવ્યા હતા.
  8. ડૉક્ટર રીનાએ દાવો કર્યો કે ક્રાઇમ સીન પર ઘણા બહારના લોકો આવ્યા, જેમાં એક મેડિકલની ટીમ બહારથી આવી હતી. આની સાથે જ ખૂબ હાઈ પ્રોફાઇલ લોકોની એક મીટિંગ પણ થઈ જેના પછી આને આત્મહત્યાનો કેસ કહેવામાં આવ્યો.
  9. તેમણે એ પણ દાવો કર્યો કે જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર હત્યાની ઘટનાને અંજામ આપવામાં એકથી વધુ લોકો સામેલ હોઈ શકે છે. ડૉક્ટર સંદીપ ઘોષ એક સિન્ડિકેટ બનાવીને રાખતા હતા અને બધા લોકો તેનાથી ડરતા હતા.
  10. સંદીપ ઘોષે તેમના સલાહકાર દેબાશીષ સોમ સાથે આ દરમિયાન સૌથી વધુ વાત કરી. અહીં હવે ઘણા સવાલો ઊભા થાય છે અને તેમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે શું ક્રાઇમ સીનને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો?

આ પણ વાંચોઃ 

Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
Embed widget