શોધખોળ કરો

પહલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠકનો આ પાર્ટીએ કર્યો બહિષ્કાર, કહ્યું - 'ત્યાં માત્ર ચા-નાસ્તો કરવા.... '

કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું, PoK પર હુમલો કરીને તેને જોડવાનો સમય આવી ગયો – બેનીવાલ.

Hanuman Beniwal boycott: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે (૨૪ એપ્રિલ, ૨૦૨૫) તમામ રાજકીય પક્ષોની એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર પહલગામ હુમલા અંગે તમામ પક્ષોને માહિતી આપશે અને તેમના અભિપ્રાય તથા સૂચનો જાણશે. જોકે, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) ના સાંસદ અને વડા હનુમાન બેનીવાલે આ સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે અને કેન્દ્ર સરકાર તથા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

હનુમાન બેનીવાલે પહલગામ હુમલાને લઈને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ નહીં લેવાનું સ્પષ્ટ કર્યું છે. તેમણે સર્વપક્ષીય બેઠકોના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠાવતા કહ્યું, "હું પહેલગામ હુમલાને લઈને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લઈશ નહીં. સર્વપક્ષીય બેઠક માત્ર ચા-નાસ્તો માટે જ યોજાય છે. તેમાં કોઈ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થતી નથી."

પાકિસ્તાન પર સીધા હુમલા અને PoKને જોડવાની માંગણી:

બેનીવાલે સ્પષ્ટ શબ્દોમાં કેન્દ્ર સરકારને જણાવ્યું કે જો સરકારને કંઈક કરવું જ હોય, તો તેણે પાકિસ્તાન પર સીધો હુમલો કરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, "કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર હુમલો કરીને તેને ભારત સાથે જોડી દેવું જોઈએ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને જોડવા માટે આનાથી વધુ સારો સમય હોઈ શકે નહીં."

સરકારની નિષ્ફળતા અને કોંગ્રેસ પર નિશાન:

હનુમાન બેનીવાલે પહલગામ હુમલા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતા આક્ષેપ કર્યો કે "સરકારની નિષ્ફળતાઓને કારણે આ હુમલો થયો છે. આતંકવાદને ખતમ કરવાના મુદ્દે ભાજપે સરકાર બનાવી હતી," તેમ પણ તેમણે યાદ અપાવ્યું હતું.

આ ઉપરાંત, સાંસદ હનુમાન બેનીવાલે કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આવા સંવેદનશીલ મુદ્દા પર પણ ગંભીર નથી અને કોંગ્રેસ હવે 'મૃત્યુ પામેલી પાર્ટી' બની રહી છે.

હનુમાન બેનીવાલનું આ નિવેદન પહલગામ હુમલા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ કેન્દ્ર સરકાર તમામ પક્ષોને સાથે લઈને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવા માંગે છે, ત્યારે બેનીવાલ દ્વારા બેઠકનો બહિષ્કાર અને સીધા સૈન્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. સરકાર અને કોંગ્રેસ પર તેમના પ્રહારો પણ હાલના રાજકીય માહોલને વધુ ગરમાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Embed widget