શોધખોળ કરો

Pahalgam Terror Attack: કેવી રીતે ખબર પડી કે આતંકી પાકિસ્તાનથી આવ્યા હતા? અવિમુક્તેશ્વરાનંદે કર્યો મોટો સવાલ

Kashmir Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે તેમજ તેમણે હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Pahalgam Terror Attack: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશના લોકોમાં ઘટનાને લઇને આકોશ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે. સાથે જ કેટલાક લોકોએ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે. જગદગુરુ શંકરાચાર્ય જ્યોતિષપીઠાધિશ્વર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ મોટું નિવેદન આપ્યું છે અને હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

 સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, "સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે અમારા ઘરમાં ચોકીદાર હોય અને અમારા ઘરમાં કોઈ ઘટના બને તો આપણે પહેલા કોને પકડીએ? સૌથી પહેલા અમે ચોકીદારને પકડીશું, તમે ક્યાં હતા? આવી ઘટના કેમ બની? પરંતુ અહીં આવું કંઈ નથી થઈ રહ્યું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asian News International (@ani_trending)

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રશ્નો ઉઠાવ્યાં

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પૂછ્યું કે, "કોઈએ આતંકવાદીઓ સાથે લડાઈ નથી કરી, કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ આવ્યા, ગુનો કર્યો અને આરામથી ચાલ્યા ગયા. તેમને ક્યાંય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ચોકીદાર ક્યાં છે?" તેમણે વધુમાં કહ્યું, "ચોકીદાર વિશે કોઈ ચર્ચા નથી. તેઓ કહી રહ્યાં છે કે અમે તેમને (પાકિસ્તાન)ને પાઠ ભણાવીશું પરંતુ તમને આટલી ઝડપથી કેવી રીતે ખબર પડી કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે કે નહીં? ઘટના પહેલા આ વાતની જાણ કેમ ન થઈ? જો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે તો તેમની સામે કડક કાર્યવાહી કરો."

તેમણે આ વાત સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર કહી હતી

સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, "તમે કહો છો કે અમે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે પરંતુ શું તમારી પાસે પાણી રોકવાની કોઈ વ્યવસ્થા છે? અમે નિષ્ણાતોને પૂછ્યું કે જો આપણા દેશમાં પાણી બંધ થાય છે તો અમારી પાસે કઈ સિસ્ટમ છે? નિષ્ણાતોએ કહ્યું કે અમારી પાસે આ સિસ્ટમ નથી,  જો બંધ કરીએ તો તો પણ અમને ઓછામાં ઓછા 20 વર્ષ લાગશે ત્યારે આપણે  સિંધુ નદીના પાણીને રોકવામાં સમર્થ થઇએ."

તેમણે કટાક્ષ કરતા કહ્યું, "લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાન પાણીના એક ટીપા માટે તરસે છે અને નિષ્ણાતો કહી રહ્યા છે કે આ કામમાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગશે, આનો કોઈ ઉકેલ નથી." તેમણે સરકારને અપીલ કરી કે જેમણે આ ભૂલ કરી છે તેમને સજા મળવાની જરૂર છે. જો કોઈ બહારની વ્યક્તિ હોય તો તેના ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
Embed widget