'હું લોકસભા ચૂંટણી લડીશ....': બંગાળમાં ભાજપની ટિકીટ પર ના ઉતરવાનું કહ્યા બાદ પવનસિંહનો યૂ-ટર્ન, જાણો શું કહ્યું
ભાજપે 2 માર્ચે પવનસિંહને ટિકિટ આપવાની આશ્ચર્યજનક જાહેરાત કરી હતી. પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા
!['હું લોકસભા ચૂંટણી લડીશ....': બંગાળમાં ભાજપની ટિકીટ પર ના ઉતરવાનું કહ્યા બાદ પવનસિંહનો યૂ-ટર્ન, જાણો શું કહ્યું Pawan Singh Will Contest Lok Sabha Elections: bhojpuri actor pawan singh says he will contest lok sabha election 2024 'હું લોકસભા ચૂંટણી લડીશ....': બંગાળમાં ભાજપની ટિકીટ પર ના ઉતરવાનું કહ્યા બાદ પવનસિંહનો યૂ-ટર્ન, જાણો શું કહ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/32b87dc3791d04f331edd5669e025340171032041339377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pawan Singh Will Contest Lok Sabha Elections: ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પાવરસ્ટાર પવનસિંહે પોતે બુધવારે (13 માર્ચ) એક્સ હેન્ડલ પરથી માહિતી આપતાં આની જાહેરાત કરી છે.
પવનસિંહે લખ્યું, "હું મારા સમાજ, જનતા, જનાર્દન અને માતાને આપેલા વચનને પૂર્ણ કરવા માટે ચૂંટણી લડીશ. તમારા બધાના આશીર્વાદ અને સહકારની અપેક્ષા છે. જય માતા દી."
मैंअपने समाज जनता जनार्दन और माँ से किया हुआ वादा पूरा करने के लिए चुनाव लडूँगा
— Pawan Singh (@PawanSingh909) March 13, 2024
आप सभी का आशीर्वाद एवं सहयोग अपेक्षित है
जय माता दी
આસાનસોલથી બીજેપીએ આપી છે ટિકીટ
તમને જણાવી દઈએ કે ભાજપે 2 માર્ચે પવનસિંહને ટિકિટ આપવાની આશ્ચર્યજનક જાહેરાત કરી હતી. પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ અવાજો ઉઠ્યા બાદ તેમણે ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની ઉમેદવારી કેમ પાછી ખેંચી તેનો ખુલાસો કર્યો ન હતો.
પવનસિંહે 3 માર્ચે કહ્યું હતું કે, “હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં...''
અક્ષરાસિંહને લઇને શરૂ થઇ ગઇ હતી ચર્ચા
તમને જણાવી દઈએ કે પવનસિંહે કોઈ કારણસર આસનસોલથી ચૂંટણી નહીં લડવાની વાતનો ઈન્કાર કરતા જ સમાચાર આવવા લાગ્યા કે બીજેપી આ સીટ પરથી અક્ષરાસિંહને ટિકિટ આપી શકે છે. જોકે, અક્ષરા સિંહ કે બીજેપી તરફથી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.
નોંધનીય છે કે બીજેપીએ પવનસિંહના નામની જાહેરાત કરતા જ TMCના ઘણા નેતાઓએ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. એક ગીતને લઈને પવનસિંહ પર નિશાન સાધવા લાગ્યું. એવું માનવામાં આવતું હતું કે ટાર્ગેટ થયા બાદ પવનસિંહે 24 કલાકની અંદર કહ્યું કે તે આસનસોલથી ચૂંટણી લડી શકશે નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)